વન સંરક્ષણનો મુખ્ય હેતુ કયો છે?
Hide | Showજવાબ :
વન સંરક્ષણના કારણે જંગલોમાં રહેતા વન્ય જીવોને આશાર્ય મળે છે.અને તેમના કુદરતી આવાસો સલામત રહે છે.
જંગલોમાં વૃક્ષોના આચ્છાદનને કારણે જમીનની ફળદ્રુપતા વધે છે અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટે છે.
વનમાં રહેલી વૃક્ષોની હારમાળાને કારણે રણ વિસ્તારનું વિસ્તરણ માર્યાદિત રહે છે. આ ઉપરાંત વન્ય પેદાશો વિપુલ પ્રમાણમાં મળે છે.
કુદરતી વનસ્પતિ એટલે શું? ભારતમાં તે ક્યાં જોવા મળે છે?
Hide | Showજવાબ :
માનવીની મદદ વગર કુદરતી રીતે જે વનસ્પતિનો ઉછેર થયો હોય તેને કુદરતી વનસ્પતિ કહે છે.
ભારતમાં કુદરતી વનસ્પતિ હિમાલયના જંગલો, સુંદરવન અને ઠારના રણના દુર્ગમ વિસ્તારોમાં જ જોવા મળે છે.
બળતણની જરૂરિયાત માટે લાકડાને બદલે કયો વિકલ્પ છે?
Hide | Showજવાબ :
બળતણની જરૂરિયાત માટે લાકડાને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ, પવન ઉર્જા વગેરે વિકલ્પો છે.
હાથીઓની સંખ્યામાં વધારો થાય તેવી કઈ પરિયોજના કરવામાં આવી છે?
Hide | Showજવાબ :
ભારતમાં હાથીઓની સંખ્યા વધે તે માટે હાથીઓના કુદરતી આવાસોનું રક્ષણ કરવું,તેમના નિવાસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું, એ માટે ખાસ હાથી પરિયોજના અમલમાં મુકવામાં આવી છે.
વાઘ પરિયોજના ક્યારે અને કેમ શરુ કરવામાં આવી?
Hide | Showજવાબ :
જંગલોમાં થતા ગેરકાયદેસર શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ પર બહુ મોટો ખતરો ઉભો થયો. તે માટે 1971 માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરુ કરવામાં આવી.
જળ બિલાડી ગુજરાતની કઈ નદીઓમાં હતી? અને અત્યારે તેની પરિસ્થિતિ કેવી છે?
Hide | Showજવાબ :
ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓમાં જળ બિલાડી જોવા મળતી હતી.આજે આ જળબિલાડી લુપ્ત થવાના આરે છે.
હિમદીપડા પરિયોજનાનો મુખ્ય હેતુ કયો છે?
જવાબ :
હિમાલયમાં લગભગ ૩૦૦૦મીટરની ઉંચાઈએજોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી ૨૦૦૦ ની સાલમાં આ પરિયોજના શરુ કરાઈ.
વાઘોનું અસ્તિત્વ ટકાવી રાખવા સરકારે કયા પ્રયત્નો કાર્ય છે?
Hide | Showજવાબ :
ગેરકાયદેસર થતા વાઘોના શિકારને કારણે તેનું અસ્તિત્વ જોખમમાં આવ્યું હતું.તેને બચાવવા માટે સરકારે વાઘના કુદારતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવ્યા છે.
ભારતમાં કયા સમુદ્ર કિનારે સમુદ્રી કાચબા ઈંડા મુકવા આવે છે?
Hide | Showજવાબ :
ભારતમાં ઓડીસા,ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રી કાચબા ઈંડા મુકવા આવે છે.
ભારતમાં વિવિધ પશુ પક્ષીઓ ક્યાં છે? અને તે કયા વિસ્તારમાં જોવા મળે છે?
જવાબ :
ભારતમાં કાળા રંગના રીંછ,એક શીંગી ભારતીય ગેંડા, હરણ, વિવિધ પ્રકારના સાપ તથા મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ,કલકલિયો, સુરખાબ,અને સરસ જોવા મળે છે.
હિમાલયમાં ઉંચાઈ પર જોવા મળતો હિમ દીપડો અને ત્યાજ શીત વનોમાં જોવા મળતું લાલપાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે.
જંગલોના પ્રકાર વિષે સવિસ્તાર નોંધ લખો
Hide | Showજવાબ :
વહીવટી, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટીએ જંગલોના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે.
તેમાં લાકડા વીણવા, ઝાડ કાપવા, અને પશુઓ ચરાવવા માટે પ્રવેશ કરવાની સખત મનાઈ હોય છે. આ જંગલો ભારતના જંગલોના કુલ ક્ષેત્રફળના 54.4 % જેટલો વિસ્તાર રોકે છે.
2. માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટીએ જંગલોના પ્રકાર:
માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટીએ ભારતમાં જંગલોના મુખ્ય ત્રણ પ્રકાર છે.
વન સંરક્ષણના ઉપાયો જણાવો.
Hide | Showજવાબ :
વન સંરક્ષણ અંગેના ઉપાયો
આ પ્રમાણેના સામુહિક ઉપાયોનું આયોજન કરી આપણા અમુલ્ય જંગલોનું સંરક્ષણ કરવું જોઈએ.
વન્ય જીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો.
Hide | Showજવાબ :
વન્ય જીવોની સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરુ કરવામાં આવી છે.
વાઘના કુદરતી આવાસને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણી બધ્ધ પગલા લેવામાં આવ્યા. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરાત છે.
આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત આ યોજના પાલતું હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે.
ભારત ‘રાઈનો વિઝન’ (Rhino Vision) 2020 ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા ૩૦૦૦ સુધી લઇ જવાનું લક્ષ્ય છે.
ત્યારે ભારત સરકારે આ મગરોની પ્રજાતિને બચાવવા સારૂ સમયસરના પગલા લઇ આ પરિયોજના શરુ કરી.
આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણીપુર થાર્મિલ પરિયોજના, ગંગા – બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરાત છે.
આ પ્રકરણમાં રાસાયણિક પ્રક્રિયાની સમજૂતી, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું, સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય,રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિ-વિસ્થાપન પ્રક્રિયા, રોજિંદા જીવનમાં જોવા મળતી ઓક્સિડેસન પ્રક્રિયાઓની અસર અને ખોરાપણું નો સમાવેશ થાય છે.
આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.