ભૂમિ સંરક્ષણ એટલે શું?
Hide | Showજવાબ :
ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી તે. માટીકણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખીને જમીન સંરક્ષણનો ઉપાય યોજી શકાય છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો યોજવામાં આવે છે. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતાં જાન માલની સલામતીના જોખમો ઊભા થાય છે.
લેટેરાઇટ જમીનનું નામ કેવી રીતે પડ્યું છે?
Hide | Showજવાબ :
લેટીન ભાષાના શબ્દ ‘Later’ એટલે ઈંટ પરથી પડ્યું છે. લોહ ઓકસાઈડને લીધે તેનો રંગ લાલ હોય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે.
લેટેરાઈટ જમીનમાં કયા કયા તત્વો હોય છે અને તેમાં કયા પાક ઉગાડી શકાય છે?
Hide | Showજવાબ :
આ જમીનોમાં મુખ્યત્વે લોહતત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે પણ તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી કાજુ વગેરેના પાક લેવાય છે. આ જમીનને પડખાઉ જમીન તરીકે ઓળખવામાં આવે છે.
જંગલ પ્રકારની જમીન ક્યા આવેલી છે તેની લાક્ષણિકતા શું હોય છે?
Hide | Showજવાબ :
આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટર થી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે.
વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેંદ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે. જે જમીન તળમાં નીચેની તરફ જતાં ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે.
ભારતમાં કાળી જમીન કયા કયા પ્રદેશોમાં આવેલી છે?
Hide | Showજવાબ :
ભારતના દક્ષિણ ભાગમાં તથા સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમની મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં આ પ્રકારની કાળી જમીન મળે છે.
નવીનીકરણીય સંસાધન એટલે શું?
Hide | Showજવાબ :
કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સામાં પૂર્તિ કહે છે અથવા તે અખૂટ હોય છે, તેને નવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે.
અનવીનીકરણીય સંસાધનો કોને કહેવાય છે?
Hide | Showજવાબ :
જે સંસાધનો એકવાર વપરાયા પછી પુન: ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા નજીકના ભવિષ્યમાં તેનું પુન: નિર્માણ અશક્ય છે તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે.
એકલ સંસાધનો એટલે શું?
Hide | Showજવાબ :
દુનિયામાં ભાગ્યે જ એક બે જગ્યાઓએ મળી આવતાં ખનીજોને એકલ સંસાધનો કહે છે. જેમ કે ક્રાયોલાઇટ ખનીજ માત્ર ગ્રીનલેન્ડમાં જ મળી આવે છે.
વૈશ્વિક સંસાધન એટલે શું?
Hide | Showજવાબ :
વિશ્વની બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન કે જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય તેવી ભૌતિક કે અભૌતિક સંપત્તિને વૈશ્વિક સંસાધનો કહેવામાં આવે છે.
જંગલોના પ્રકાર વિષે સવિસ્તાર નોંધ લખો
Hide | Showજવાબ :
વહીવટી, માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટીએ જંગલોના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે.
1. વહીવટી દ્રષ્ટીએ જંગલોના પ્રકાર:
A. અનામત જંગલ: આ પ્રકારના જંગલો સ્સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. તેમાં પેદા થતા કિંમતી ઈમારતી લાકડા તેમજ અન્ય પેદાસો મેળવવા હંમેશા સુરક્ષિત કે અનામત રાખવામાં આવે છે.
તેમાં લાકડા વીણવા, ઝાડ કાપવા, અને પશુઓ ચરાવવા માટે પ્રવેશ કરવાની સખત મનાઈ હોય છે. આ જંગલો ભારતના જંગલોના કુલ ક્ષેત્રફળના 54.4 % જેટલો વિસ્તાર રોકે છે.
B. સુરક્ષિત જંગલ: આ પ્રકારના જંગલોમાં વ્રુક્ષોને હાની પહોચાડ્યા સિવાય લાકડા વિણવાની અને પશુઓને ચરાવવાની તથા ખેતી કરવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરાય છે.
C. અવર્ગીકૃત જંગલ: જે જંગલો અતિશય ગીચ અથવા દુર્ગમ વનવિસ્તાર છે, તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું નથી, આવા જંગલોને અવર્ગીકૃત જંગલો કહેવામાં આવે છે.
2. માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટીએ જંગલોના પ્રકાર:
માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટીએ ભારતમાં જંગલોના મુખ્ય ત્રણ પ્રકાર છે.
A. રાજ્ય માલિકીનું જંગલ: આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકારનું હોય છે. દેશના મોટા ભાગના જંગલોના વિસ્તારો આ પ્રકારમાં આવે છે.
B. સામુદાયિક વન: આ પ્રકારના જંગલો પર સ્થાની સ્વરાજ્યની સંસ્થાઓ જેવીકે ગ્રામ પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકા,અને જીલ્લા પંચાયતનું નિયંત્રણ હોય છે.
C. ખાનગી જંગલ: આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે. આ પ્રકારના ઘણાખરા જંગલો ઉજ્જડ બની ગયા છે.ઓડીસા,મેઘાલય,પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના જંગલો વિશેષ પ્રકારે જોવા મળે છે.
વન સંરક્ષણના ઉપાયો જણાવો.
Hide | Showજવાબ :
વન સંરક્ષણ અંગેના ઉપાયો
• લાકડા અથવા બળતણના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. જેમકે સૌરઉર્જા, પવનઉર્જા, બાયોઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને જાણકરી આપી પ્રોત્સાહિત કરવા.
• જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્ય પણે કાપવા પડે, તેની જગ્યાએ તેજ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવો જોઈએ.
• જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે, તેમને ભવિષ્યની જરૂરિયાત માટે વનીકરણની ફરજ પાડવી જોઈએ.
• ઇકો-ટુરીઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયંત્રણો કરવા.
• સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું.
• શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમાવવી અને વનસંરક્ષણની વિશેષ જરૂરિયાતો સમજાવવી.
• ઘાસ ચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ માટે આયોજન બધ્ધપ્રોત્સાહક પગલા ભરી વન વિસ્તારવા.
• વનસંસાધનોનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો.
• દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. તેના શમનમાટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર ઉભું કરવું.
• જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરતા મેલા, યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહન સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતા હજારો યાત્રિકો પહોંચે છે, તે સમયે થતા કચરાનો યોગ્ય નિકાલ ન થતા જંગલ દુષિત થાય છે.
• પશુઓને ચરાવવા માટે જન્ગાલોમાં અલાયદા વિસ્તારો રાખવા જોઈએ.
આ પ્રમાણેના સામુહિક ઉપાયોનું આયોજન કરી આપણા અમુલ્ય જંગલોનું સંરક્ષણ કરવું જોઈએ.
વન્ય જીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો.
Hide | Showજવાબ :
વન્ય જીવોની સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરુ કરવામાં આવી છે.
1) વાઘ પરિયોજના: ભારતના જંગલોમાં 20મી સદીની શરૂઆતમાં લગભગ 40 હાજર કરતા પણ વધારે વાઘ હતા. પરંતુ અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશને પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખરતો ઉભો થયો હતો. વાઘ બચાવવાના હેતુસર ૧૯૭૧ માં આ પરિયોજના શરુ કરાઈ.
વાઘના કુદરતી આવાસને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણી બધ્ધ પગલા લેવામાં આવ્યા. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરાત છે.
2) હાથી પરિયોજના: હાથીઓને તેમના કુદરતી આવાસમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવા માટે ૧૯૭૨ માં આ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો.
આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત આ યોજના પાલતું હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે.
3) ગેંડા પરિયોજના: આ પરિયોજના એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ મે બનાવાવામાં આવી છે. ભારતમાં આસામ રાજ્યમાં સૌથી વધારે ગેંડા જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે જુજ સંખ્યામાં મળી આવે છે.
ભારત ‘રાઈનો વિઝન’ (Rhino Vision) 2020 ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા ૩૦૦૦ સુધી લઇ જવાનું લક્ષ્ય છે.
4) ઘડિયાળ પરિયોજના: મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ ૧૯૭૦ના દાયકામાં લુપ્ત થવાને આરે હતી.
ત્યારે ભારત સરકારે આ મગરોની પ્રજાતિને બચાવવા સારૂસમયસરના પગલા લઇ આ પરિયોજના શરુ કરી.
5) ગીધ પરિયોજના: ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે.તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની ૯ પ્રજાતિઓ જોવા મળે છે. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે ૨૦૦૪ થી આ પરિયોજના શરુ કરી છે.
6) હિમ દીપડા પરિયોજના: હિમાલયમાં લગભગ ૩૦૦૦મીટરની ઉંચાઈએજોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી ૨૦૦૦ ની સાલમાં આ પરિયોજના શરુ કરાઈ.
આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણીપુર થાર્મિલ પરિયોજના, ગંગા – બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરાત છે.
જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું?
Hide | Showજવાબ :
જૈવ આરક્ષણ ક્ષેત્ર્નિ રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે.
આ ઉપરાંત કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર ૨૦૦૮ની સાલમાં તેનેજૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું હતું.
ગુજરાતમાં અગાઉ ક્યાં ક્યાં વાઘ જોવા મળતા હતા?
Hide | Showજવાબ :
ગુજરાતમાં ઇડર,અંબાજી પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા.
આ પ્રકરણમાં રાસાયણિક પ્રક્રિયાની સમજૂતી, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું, સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય,રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિ-વિસ્થાપન પ્રક્રિયા, રોજિંદા જીવનમાં જોવા મળતી ઓક્સિડેસન પ્રક્રિયાઓની અસર અને ખોરાપણું નો સમાવેશ થાય છે.
આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.