ભારતમાં વસતા વૃદ્ધ નાગરિકોની આંકડાકીય માહિતી આપો.
Hide | Showજવાબ :
ભારતમાં ૨૦૦૧થી ૨૦૧૧ના એક દાયકામાં વૃદ્ધોની સંખ્યા માં ૨.૭૫ કરોડનો વધારો થયો છે. ૨૦૧૧માં એક અંદાજ મુજબ ભારતના વૃદ્ધ મહિલાઓની સંખ્યા ૫.૨૮કરોડની હતી જ્યારે વૃદ્ધ પુરુષોની સંખ્યા ૫.૧૧ કરોડની હતી.
ભારતમાં પ્રજાના સરેરાશ આયુષ્ય અંગેની માહિતી આપો.
Hide | Showજવાબ :
ભારતમાં આરોગ્ય સેવાઓ, તબીબી સારવારની સુવિધાઓ, ઔષધીય સગવડો, વગેરેના કારણોસર ભારતમાં વ્યક્તિના સરેરાશ આયુષ્યમા ૪.૩ વર્ષનો વધારો થયો છે. ૨૦૦૧ થી ૨૦૦૫ દરમિયાન પ્રજાનું સરેરાશ આયુષ્ય ૬૩.૨ વર્ષનું હતું. તે ૨૦૧૫માં વધીને ૬૭.૫ વર્ષનું થયું છે.
કુમળી વયના બાળકને મજૂરી કરાવનાર સામે શું થઈ શકે છે?
Hide | Showજવાબ :
બંધારણીય જોગવાઈ અનુસાર ૧૪ વર્ષથી ઓછી વયના બાળકને કોઈ કારખાનામાં કે કોઈ પણ કામ ધંધામાં નોકરીએ રાખી શકાશે નહીં. તથા આના ભંગ બદલ નોકરીદાતા સામે કાનૂની રાહે પગલાં ભરીને સજા કરાવી શકાય છે.
બાળ શ્રમિકોને શોષણ વધુ પડતું થવાનું શું કારણ છે?
Hide | Showજવાબ :
બાળ શ્રમિકોમાં સંગઠન નો અભાવ હોય છે અને તેઓ સંગઠિત થઈ શકતા નથી. માલિકો સામે અવાજ ઉઠાવી શકાવા તેઓ અસમર્થ હોય છે. તેઓ વિરોધ કરવાને માટે પણ અસમર્થ હોય છે. વધુમાં તેમને ખબર ન પડે તેવી રીતે વિવિધ પ્રકારે તેમનું શોષણ કરી શકાય છે. માટે તેમનું વધુ શોષણ થાય છે.
બાળમજૂરો પેદા થવા પાછળનું મુખ્ય પરિબળ કયું છે?
Hide | Showજવાબ :
જે સ્લમ કે ગરીબોના ઝૂંપડપટ્ટી વાળો વિસ્તાર હોય છે તેમાં વસતા કુટુંબના માં-બાપો બાળકોને ભણવાની ઉંમરે કુટુંબના સભ્યોની જરૂરીયાતોની પૂર્તિ કરવા માટેનું સાધન સમજી કામ કરવા મજબૂર કરે છે. અથવા નાના બાળકોને ભગવાને કામ કરવા માટે વધુ બે હાથ મોકલ્યા તેવું માને છે અને પૈસા કમાવવા મોકલવા માટે પ્રોત્સાહિત અને મજબૂર કરે છે. આમ પરિવારોમાં બાળકોને શરૂઆતથીજ કામ પ્રત્યેના લગાવ સાથેનો ઉછેર કરાયો છે.
કેટલાક બાળકો કુમળી વયે ગુનાહિત પ્રવૃત્તિઓ કરી બાળગુનેગારો કેમ બને છે?
Hide | Showજવાબ :
આપણા સમાજમાં કેટલાક બાળકો નાની ઉંમરમાં રમતગમત, મનોરંજન, આરામ, બાળપણ, માતા-પિતાની હુંફ, અને પ્રેમ, સાર સંભાળ, અને શિક્ષણથી દૂર રહી જતા હોય છે. આ બાળકોમાંથી કેટલાક બાળકો માનસિક રીતે હતાશ બની જાય છે અને ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળી જાય છે.
જવાબ :
ભારતમાં બાળમજૂરોની સંખ્યા અને સ્થિતિ દયાજનક છે. વધુમાં કેટલાક ક્ષેત્રોમાં બાળમજૂરોની જરૂરિયાતો તેમને અપરાધી બનાવે છે. બાળમજૂરી મજબૂરીવશ કરવી પડતી હોય છે. તેના કારણો નીચે મુજબ છે.
રાજ્ય સરકારો અગ્રીમ કુટુંબોની યાદી સુધારણા માટે શું કરી રહી છે.
Hide | Showજવાબ :
જાહેર વિતરણ પ્રણાલીને રાજ્ય સરકારો આ અગ્રીમ કુટુંબોની યાદી અદ્યતન કરવા અને સુધારવા માટે આવી નામોની યાદી કુટુંબની મહિલાના નામે, ગ્રામ પંચાયત, ગ્રામ સભામાં, ઇ-ગ્રામ કે વ્યાજબી ભાવની દુકાનોકે મામલતદારની કચેરી અથવા પુરવઠા વિભાગની વેબસાઇટ પર જાહેરમાં પ્રદર્શિત કરશે. વગેરે સરકારના પ્રયાસો ગણી શકાય છે.
જાહેર વિતરણ પ્રણાલીમાં સરકારે શું સુધારા કર્યા છે?
Hide | Showજવાબ :
જાહેર વિતરણ પ્રણાલી અને ભ્રષ્ટાચાર મુક્ત વિતરણ વ્યવસ્થા બનાવવા માટે સરકારે યોગ્ય સુધારણા કરી છે. આ માટે સરકારે બાયોમેટ્રિક ઓળખ, એપીક કાર્ડ, બારકોડેડ રેશનકાર્ડ, અન્ન કુપન, તથા વેબકેમેરાથી ઇમેજ લેવાનાં, વગેરે જરૂરી અને આવકારદાયક પગલાં ભર્યા છે.
રાષ્ટ્રીય અન્ન સલામતી ધારા હેઠળની "માં અન્નપૂર્ણા" યોજના ની સમજ આપો.
Hide | Showજવાબ :
માં અન્નપૂર્ણા યોજનાની અન્વયે શહેર ગ્રામ્ય વિસ્તારના જરૂરિયા મંદ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વ્યાજબી ભાવથી અનાજ પૂરું પાડવામાં આવે છે. આ યોજના પ્રમાણે રાજ્યના અંત્યોદય પરિવારોને પ્રતિમાસ ૩૫ કિ.ગ્રા. અનાજ મફત આપવામાં આવે છે. તથા સમગ્ર ગુજરાતમાંથી આશરે ૩.૬૪ કરોડ જરૂરીયાતમંદ નાગરિકોને રાહત દરે અનાજ આપવાની કલ્યાણકારી યોજના રાજ્ય સરકારે અમલી કરી છે.
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ અંગે સમજ આપો.
Hide | Showજવાબ :
ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા તા. ૫ જુલાઈ ૨૦૧૩ના રોજ આ કાયદો અમલી બન્યો છે. આ કાયદાથી સરકારે અનાજની સુરક્ષા માટે હાથ લંબાવ્યા છે. સમાજના દરેક વ્યક્તિઓને બધાજ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની ઉપલબ્ધિ થાય તેવા પ્રયાસ હાથ ધર્યા છે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હક્કો નો કાયદો સમજાવો.
Hide | Showજવાબ :
કેન્દ્ર સરકારે ૨૦૦૯ની સાલમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો છે. તથા આ કાયદા મુજબ ગુજરાત સરકારે તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હક્કના નિયમો ૨૦૧૨ જાહેર કર્યા છે.
બાળકોના શોષણ કે અત્યાચારો કોને કહેવાય? તેના માટે શું થઈ શકે છે?
Hide | Showજવાબ :
બાળકો ખૂબજ સંવેદનશીલ હોય છે. બાળકો ઉપર જાણી જોઈને કે દુર્ઘટના સ્વરૂપે શારીરિક ઈજા પહોંચાડવી, શારીરિક શિક્ષા કે ધમકીઓ આપી કડવા વેણ કે અપશબ્દોથી તેનું જાહેરમાં અપમાન કે માનહાની કરવી, જાતીય સતામણી કરવી, યોનશોષણ કરવું, અસહ્ય હદે મારમારપીટ કરવી, વગેરે જેવી વિવિધ પ્રકારે શારીરિક કે માનસિક અથવા બંને પ્રકારની હિંસા એ બાળ અત્યાચારો કહેવાય છે. બાળકોને ઉપરોક્ત તમામ પ્રકારની પરિસ્થિતિઓમાંથી બચાવવા માટે આપણી ફરજ બને છે કે આપણે નીચે મુજબની કામગીરી બજાવીએ.
આપણા સમાજમાં બાળકોની ભૂમિકા અથવા મહત્વ સમજાવો.
Hide | Showજવાબ :
આપણા સમાજમાં સૌથી અસુરક્ષિત વર્ગમાં બાળકોનું સ્થાન છે. કોઈપણ રાષ્ટ્રના વિકાસનો આધાર તેના બાળકોને સુરક્ષિતતા તેના શિક્ષણ, સંસ્કાર, અને તેના વિકાસ માટે, પૂરી પાડવામાં આવેલી વિકાસની તકો પર નિર્ભર કરે છે. જે બાળક રક્ષિત, શિક્ષિત, અને સંસ્કારોથી દીક્ષિત હશે તો તે સારો નાગરિક પુરવાર થઈ શકે. તથા તે કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના, વિકાસમાં યથાશક્તિ યોગદાન આપી શકે. કોઈ પણ રાષ્ટ્ર માટે આવા બાળકો નાગરિક તરીકે આશીર્વાદરૂપ બની શકે છે.
નાગરિકોના અધિકારો એટલે શું? તેને ટૂંકમાં સમજાવો.
Hide | Showજવાબ :
સામાન્ય રીતે લોકો સમાજમાં સામાજિક પરિસ્થિતિઓ મુજબ કોઈપણ વ્યક્તિ માનવ હક્કો અને અધિકારો વગર પોતાનો સર્વોત્તમ વિકાસ કરી શકતો નથી. માનવ અધિકારો એ નાગરિકનું અનિવાર્ય લક્ષણ છે. સંયુક્ત રાષ્ટ્ર ( યુ.એન. ) એ તેના માનવ હક્કોના ઘોષણાપત્રમાં ( ચાર્ટર ઓફ રાઈટ્સ ) તમામ વ્યક્તિઓને કોઇપણ જાતના ભેદભાવ વગર કેટલાક સામાન્ય અધિકારો આપ્યા છે. તે પ્રમાણે વિશ્વના તમામ રાષ્ટ્રોએ પોતાના નાગરિકોને તેમના અધિકારો સરળતા અને સુગમતાથી પ્રાપ્ત થાય તેવા ઉપાયો કરવાનું જણાવ્યું છે.
ભારતના નાગરિકોને કાયદાઓનુ સામાન્ય જ્ઞાન અને સમજણ કેમ જરૂરી બન્યા છે?
Hide | Showજવાબ :
સમગ્ર ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું છે. લોકોના રોજીંદા વ્યવહારમાં સામાન્ય રીતે જરૂરી એવા નીતિ નિયમોની જાણકારીનો અભાવ હોય છે. માટે લોકોમાં કાયદાઓનું સામાન્ય જ્ઞાન સમજણ અને જાણકારી ઘણી ઓછી જોવા મળે છે. લોકોને કાયદાની જાણકારી ન હોય અને તેનાથી કાયદાનું ઉલ્લંઘન થાય તો તેને સજા કે દંડમાં માફી મળતી નથી. માટે દરેક નાગરીકોને કાયદાના જ્ઞાન અને સમજણની માહિતી આપવી જરૂરી બને છે.
સામાજિક પરિવર્તનની વ્યાખ્યા આપો
Hide | Showજવાબ :
સમાજની રચના માળખામાં અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં આવતા બદલાવને સામાજિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. જે નીચે મુજબ છે.
ભ્રષ્ટાચારને જાકારો આપવાનો સરકારનો અભિગમ સમજાવો. અથવા માહિતી અધિકારના કાયદાની જાણકારી, માર્ગદર્શન માટે સરકારની ભૂમિકા સમજાવો.
Hide | Showજવાબ :
માહિતી અધિકારના કાયદાના ઉપયોગ અંગે વિશેષ જાણકારી અને માર્ગદર્શન મેળવવા દેશની સૌપ્રથમ હેલ્પલાઇન નંબર ૯૯૨૪૦૮૫૦૦૦પરથી કામકાજના દિવસો દરમિયાન જાણી શકાય છે. વધુમાં આ ધારા અન્વયે નાગરિક અધિકાર પત્ર પ્રકાશિત થયું છે. જેના દ્વારા જે તે કચેરીમાં કામના નિકાલની પહેલેથી સમયમર્યાદા નક્કી કરી દેવામાં આવે છે. પરિણામે આપણી અરજી સબંધી પરિસ્થિતિ જાણી શકાય છે. વધુમાં ગુજરાત સરકારે "કોમન સર્વિસ પોર્ટલ" સેવા શરૂ કરી છે, તે દ્વારા નાગરિક ૨૮ જેટલી સેવાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે. વધુમાં દસ્તાવેજોની ચકાસણી, પેમેન્ટ, જેવી સુવિધા અને અરજીની સ્થિતી ૨૪×૭ દિવસમાં જાણી શકે છે. સરકારનું આ ભ્રષ્ટાચારને જાકારો આપવાનો એક ક્રાંતિકારી કદમ ગણી શકાય.
કોઈપણ માહિતી અધિકારી વ્યાજબી કારણો વિના માહિતી આપવાનો ઇનકાર કરે તો તે માટેની દંડનીય કાર્યવાહી સમજોવો.
Hide | Showજવાબ :
કોઇપણ અધિકારી જાણીજોઈને વ્યાજબી કારણો વગર નાગરીકોને માહિતી આપવાનો ઇનકાર કરે, બદઈરાદાથી માહિતી છુપાવે, જાણીબૂઝીને અધુરી કે ખોટી માહિતી આપે, તથા ગેરમાર્ગે દોરતી માહિતી આપે, કે માહિતીનો નાશ કરે, તેવા કિસ્સા પ્રમાણે જે તે બદલ જેટલા દિવસ વિલંબ થયો હોય તેટલા દિવસ પ્રમાણે નિયત રકમ પ્રમાણે જે તે દોષિત માહિતી અધિકારીને દંડ થાય છે.
નિર્ધારિત સમયમાં માહિતી ન મળે તો શું કરી શકાય?
Hide | Showજવાબ :
કોઈપણ નાગરિકે માંગેલી માહિતીનો વિભાગ ૩૦ દિવસમાં માહિતીનો નિકાલ ન કરે કે માહિતી આપવાનો ઇનકાર કરે તો નારાજ થયેલા પક્ષકાર કે નાગરિક જાહેર માહિતી અધિકારી ( PIO ) ને કમ મળ્યાના ૩૦ દિવસમાં પ્રથમ અપીલ કરી શકે છે. આ માટે કોઈપણ પક્ષકારે કોઈ પ્રકારની ફી ચૂકવવી પડતી નથી. જો પ્રથમ આપીલમાં નિર્ધારિત સમય મર્યાદામાં નિર્ણયની જાણ ન થાય કે માહિતીના ઇનકારથી નારાજ થયેલ નાગરિક ૯૦ દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે છે.
સમાજમાં લોકો એકબીજાની સંસ્કૃતિથી પરિચિત કેવી રીતે બન્યા છે?
Hide | Showજવાબ :
સમાજમાં પશ્વિમીકરણ, વૈશ્વિકીકરણ, અને શહેરીકરણ વગેરે કારણોથી અંદરોઅંદરના સામાજિક સંબંધોના આદાન-પ્રદાન, કુટુંબ વ્યવસ્થા ગોઠવવામાં, લગ્ન વ્યવસ્થાઓમાં, જુદી જુદી સંસ્કૃતિની એકબીજા વચ્ચે ના આદાન-પ્રદાનથી, સાહિત્યથી, કલા - સંગીતના માધ્યમ દ્વારા અને નૃત્યના ક્ષેત્રના માધ્યમોથી લોકો એકબીજાની સંસ્કૃતિથી પરિચિત થયા છે.
સામાજિક પરિવર્તન એટલે શું?
Hide | Showજવાબ :
સમાજની રચના જે પ્રકારના માળખાથી થઇ છે તેમાં અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં આવતા બદલાવને સામાજિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે.
દેશ-વિદેશમાં ભ્રષ્ટાચારનું સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે તે સમજાવો.
Hide | Showજવાબ :
ભ્રષ્ટાચારના આચરણના વિવિધ પ્રકારો છે. જેમાં મુખ્યત્વે રોકડ લેવડ-દેવડના સ્વરૂપમાં વધુ જોવા મળે છે. તે ઉપરાંત ભેટ-સોગાદો, કિંમતી આભૂષણ અથવા અન્ય ચીજ-વસ્તુઓના સ્વરૂપમાં પણ લેવાય છે. ઘણીવાર પક્ષપાતી વલણના રૂપમાં, વિદેશ પ્રવાસ સ્વરૂપે, નિર્ણયમાં લાગવગ કરીને કે વિધાર્થીઓની તરફેણ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે.
ભ્રષ્ટાચાર અંગે ની વ્યાખ્યા સમજાવો.
Hide | Showજવાબ :
ભ્રષ્ટાચાર એ વૈશ્વિક દૂષણ છે. વિશ્વબેંકની વ્યાખ્યા પ્રમાણે ભ્રષ્ટાચાર એટલે સાર્વજનિક હોદ્દા કે પદનો વ્યક્તિગત લાભ લેવા માટે ઉપયોગ કરવો તેને કહેવાય છે. ભ્રષ્ટાચાર પદ અને સત્તાના દુરુપયોગથી જન્મે છે. ભારતીય સમાજમાં કેટલાક જાહેર અને ખાનગી ક્ષેત્રમાં વ્યાપક સ્વરૂપે ભ્રષ્ટાચાર જોવા મળે છે. ભ્રષ્ટાચાર કરનાર અને આપનાર બન્ને કાયદાની જોગવાઇ મુજબ કાનૂની રાહે ગુનેગાર બને છે. તથા તેમનો આ ગુનો સજાપાત્ર ગુનો છે.
વાઈટ કોલર અપરાધ અંગે ટૂંકમાં જણાવો
Hide | Showજવાબ :
આપણા સમાજમાં લાંચ-રૂશ્વત, ભ્રષ્ટાચાર, કરચોરી, સંગ્રહખોરી, ભેળસેળ, જમીનના દબાણો, એટલે કે જમીનનો બિન અધિકૃત કબજો કરવો, વગેરે પ્રકારની પ્રવૃત્તિઓ વાઈટ કોલર અપરાધ ગણાય છે.
સમાજમાં બ્લ્યુકોલર અપરાધ કોને કહેવાય?
Hide | Showજવાબ :
સમાજમાં કેટલીક અપરાધ વાળી પ્રવૃત્તિઓ કે અસામાજિક અથવા પ્રતિબંધિત પ્રવૃત્તિઓ આપણને જોવા મળતી હોય છે. જેવી કે ખૂન, ચોરી, અપહરણ, લૂંટ- ફાટ, છેતરપિંડી, બળાત્કાર, સ્ત્રી - બાળાઓનો અનૈતિક વેપાર, છળકપટ, અને સાઇબર ક્રાઇમ વગેરે પ્રવૃત્તિઓ બ્લ્યુકોલર અપરાધ કહેવાય છે.
સમજમાં અસામાજિક પ્રવૃત્તિ એટલે શું તે સમજાવો?
Hide | Showજવાબ :
સમાજમાં કાયદાથી બનાવેલા નિયમોને આધીન ના હોય તેવી વ્યક્તિ કે પ્રતિબંધિત પ્રવૃત્તિ અને વર્તણૂકને અસામાજિક પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક ઓક્ટોબરનો દિવસ શા માટે ઉજવવામાં આવે છે?
Hide | Showજવાબ :
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ( યુ.એન. ) દરેક વર્ષે ૧ ઓક્ટોબરના દિવસે "વિશ્વ વૃદ્ધ દિન" તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવે છે.
ઘણા બધા વૃદ્ધો ઘરડાઘરમાં કેમ રહેતા હોય છે?
Hide | Showજવાબ :
ગુજરાતના વૃદ્ધોની સંખ્યા ૩૫ લાખથી વધુ છે. વૃદ્ધોની વધતી વસ્તી અને તેમના સરેરાશ આયુષ્યમાં વધારો થવાથી સામાજિક અને શારીરિક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. યુવાનોમાં પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ, વિભક્ત કુટુંબમાં રહેવાની ઘેલછાએ સંતાનો વૃદ્ધ માતા-પિતા તરફની નૈતિક ફરજો, મૂલ્યો અને આપણી સંસ્કૃતિ, સંસ્કારો વિસરી ગયા છે. વૃદ્ધ માતા-પિતાને આર્થિક મદદ, સંવેદના, સંતાનોના લાગણી શુન્ય વર્તનો, વગેરે કારણોસર મજબૂર બનીને ઘરડાઘરો ( વૃદ્ધાશ્રમો ) માં રહેવાની ફરજ પડતી હોય છે.
જવાબ :
વૃદ્ધોની સમસ્યાઓ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા માટે સંયુક્ત રાષ્ટ્રોએ (UN) ૧૯૯૯ના વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે ઘોષિત કરેલ છે.
બાળકો શોષણનો વિરોધ કે સામનો કરતા નથી. તેનું કારણ શું છે તે જણાવો.
Hide | Showજવાબ :
સામાન્ય રીતે શોષણ પીડિત બાળક ભય, ધમકી કે શરમ, અને સંકોચને કારણે અથવા સામાજિક પ્રતિષ્ઠા ભાંગવાની બીકે માતા-પિતાથી આવી ઘટનાઓ છુપાવે છે અને પોતાના ઉપર થતા અત્યાચારો અને શોષણ મૂંગા મોઢે સહન કરે છે.
બાળકોનું શોષણ મોટે ભાગે કયાં થતું હોય છે?
Hide | Showજવાબ :
બાળકો પરના અત્યાચારો અને શોષણ તેના સગા સંબંધીઓ, સ્વજનો, નિકટના મિત્રો, તેમના પડોશીઓ, નજીકની પરિચિત વ્યક્તિઓ, કે તેમના માતા-પિતા દ્વારા થતા હોય છે. જે આપણને ટી.વી. ન્યૂઝ ચેનલો અને સમાચારપત્રોથી જાણવા મળે છે.
બાળ અત્યાચારો એટલે શું? તે સમજાવો.
Hide | Showજવાબ :
બાળકોને ઈરાદાપૂર્વક કે દુર્ઘટના સ્વરૂપે શારીરિક ઈજા પહોંચાડવી, શારીરિક શિક્ષા કે ધમકીઓ આપી કડવા વેણ કે અપશબ્દોથી જાહેરમાં તેની માનહાનિ કરવી, જાતીય સતામણી કે યોનશોષણ કરવું, મારપીટ કરવી, કે વિવિધ પ્રકારની શારીરિક કે માનસિક અથવા બંને પ્રકારની હિંસા એ બાળ અત્યાચારો કહેવાય છે.
કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં બાળકોની ભૂમિકા સમજાવો.
Hide | Showજવાબ :
રાષ્ટ્રના વિકાસમાં બાળકોની સુરક્ષિતતા, તેના શિક્ષણ, સંસ્કાર અને તેને પૂરી પાડેલી વિકાસની તકો પર આધાર રાખે છે. જો બાળક શિક્ષિત, રક્ષિત અને સંસ્કારોથી દીક્ષિત હશે તો તે સારો નાગરિક બની કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી શકે છે. માટેજ બાલવિકાસ અને સમાજ કલ્યાણ સાધવુ એ સામાજિક વિકાસની પૂર્વશરત છે
ચાર પ્રકારના બાળ અધિકારો કોણે ક્યારે જાહેર કર્યા હતા? કયા પ્રકારના ચાર અધિકારો બાળકોને આપવામાં આવ્યા છે?
Hide | Showજવાબ :
ભારતના દરેક બાળકને જાતીય રંગ, લિંગ, અને ભાષા સાથે રાષ્ટ્રીયતા કે ધર્મના ભેદ વગર જીવન જીવવાનો જન્મ-જાત અધિકાર મળેલ છે. આ અધિકાર ની ઘોષણા સંયુક્ત રાષ્ટ્રોએ ઇ.સ. ૧૯૯૨ના તેમના અધિકારોના ઘોષણાપત્રમાં કરી હતી.
નાગરિકના બંધારણીય હક્કને બંધારણનો આત્મા શાથી કહેવાય છે.
Hide | Showજવાબ :
ભારતના દરેક નાગરિકને બંધારણીય હક્કો "બંધારણીય ઈલાજોના" અધિકાર પ્રાપ્ત થયા છે તેને બંધારણનો આત્મા કહે છે.
નાગરિકો પોતાના બંધારણીય હક્કો માટે ક્યાં ન્યાય માટે જઈ શકે છે?
Hide | Showજવાબ :
ગુજરાતનો નાગરિક તેના બંધારણીય હક્કો માટે અને તેના રક્ષણ માટે હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.
માનવ હક્કો અને અધિકારો માટે માનવ હક્કોના ઘોષણાપત્રની જાહેરાત કોણે કરી હતી?
Hide | Showજવાબ :
સંયુક્ત રાષ્ટ્ર ( યુ.એન. ) દ્વારા તેના માનવ હક્કોના ઘોષણાપત્ર ( ચાર્ટર ઓફ રાઈટ્સ ) માં તમામ વ્યક્તિઓને કોઇપણ જાતના ભેદભાવ વિના કેટલા સામાન્ય અધિકારો આપવાની ઘોષણા કરી હતી.
કાયદાનું સામાન્ય જ્ઞાન અને શિક્ષણ થી શું ફાયદા થાય છે?
Hide | Showજવાબ :
કાયદાના સામાન્ય જ્ઞાન અને શિક્ષણથી પ્રજાજનો કાયદાનો ભંગ કરતા કે ગુનાહિત કાર્ય કરતા અટકે છે અને શિક્ષાની જોગવાઈઓથી બચી શકે છે.
દેશમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી લોકોને કઇ અગવડ ભોગવવી પડે છે?
Hide | Showજવાબ :
આપણા દેશમાં નીચા સાક્ષરતા દરથી પ્રજાના રોજિંદા વ્યવહારમાં ઉપયોગી નીતિ નિયમોની જાણકારી નો અભાવ હોય છે. કાયદાઓની સમજણ ઓછી હોય છે. તેથી તેના ઉલ્લંઘન દરમિયાન તેમને કાનૂની સજા કે દંડ માંથી પસાર થવું પડે છે
બાળકો માટેનો મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો ક્યારે અમલી બન્યો છે?
Hide | Showજવાબ :
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ ૬ થી ૧૪ વર્ષની ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર સંબંધિત કાયદો ઇ.સ.૨૦૦૯માં અમલમાં મુકેલ છે.
બાળકો પાસે દબાણપૂર્વક બાળમજૂરી કેવી રીતે કરવામાં આવે છે?
Hide | Showજવાબ :
કેટલાક બાળકો ઘરેથી ભાગીને મોટા શહેરમાં જાય છે. ત્યાં આશ્રયના અભાવે પોતાનું જીવન ટકાવી રાખવાના વિકલ્પ તરીકે અને આશ્રય દાતાઓ પણ દબાણપૂર્વક બાળ મજુરી કરવાની ફરજ પાડે છે.
સેવા ક્ષેત્રોમાં બાળશ્રમિકો કેવી કામગીરી કરે છે?
Hide | Showજવાબ :
સેવા ક્ષેત્રની કામગીરીમાં ઘરનોકર તરીકે, ચાના લારી - ગલ્લાઓ, હોટલો અને ઢાબાઓમા, ગેરેજોમાં, લારી ખેંચવામાં, અખબારો વિતરણમાં, પ્લાસ્ટિક કે ભંગાર વણવાના કામોમાં, ભીખ માંગવામાં, તથા રસ્તા પર સફાઈ જેવા કામો બાળ શ્રમિકો કરતા હોય છે.
જોખમી વ્યવસાયોમાં બાળ શ્રમિકો કેવા પ્રકારનું કામ કરે છે?
Hide | Showજવાબ :
હોટલો, ફેક્ટરીઓ, બાંધકામના ક્ષેત્રોમાં, ફટાકડાના વ્યવસાયોમાં, ઈટોના ભઠ્ઠામાં, ખેત મજૂર તરીકે, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગમાં બાળ મજૂરો કામ કરે છે.
બાળ શ્રમિકો કોને કહેવાય તેની સમજ આપો?
Hide | Showજવાબ :
૧૪ વર્ષ કે તેથી ઓછી ઉંમરના કામ કરતાં બાળકને બાળ શ્રમિક કહેવાય છે.
બાળમજૂરી અંગેનો " યુનિસેફ નો અહેવાલ" જણાવો.
Hide | Showજવાબ :
યુનિસેફના અહેવાલ મુજબ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં બાળ શ્રમિકોની સંખ્યા કુલ વસ્તીના પ્રમાણમાં વિશ્વમાં સૌથી વધુ ભારતમાં જોવા મળે છે.
પ્રત્યેક વર્ષની ૧લીઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય સ્તરે શું નિમિત્તે ઉજવવામાં આવે છે?
Hide | Showજવાબ :
વિશ્વ વૃદ્ધ દિન
આર્થિક મદદનો અભાવ લાગણીશૂન્ય વ્યવહાર વગેરે કારણોસર કોને ઘર છોડી દેવાની મજબૂરી બની જાય છે?
Hide | Showજવાબ :
વૃદ્ધો
૧૯૯૯ ના વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ કોણે ઘોષિત કર્યું?
Hide | Showજવાબ :
સંયુક્ત રાષ્ટ્રો
વૃદ્ધો અને નિઃસહાય વ્યક્તિઓના પ્રશ્ન કેવા પ્રકારના છે?
Hide | Showજવાબ :
વિશ્વવ્યાપી
ભારતમાં આરોગ્ય વિષયક સેવાઓ, અદ્યતન તબીબી સારવાર, ઔષધીય સગવડોના, કારણે શું પરિણામ મળ્યું છે?
Hide | Showજવાબ :
સરેરાશ આયુષ્યમાં વધારો
ભારતમાં ૨૦૦૧થી ૨૦૧૧ના દાયકા માં વૃદ્ધોની સંખ્યામાં કેટલા કરોડનો વધારો થયેલ છે?
Hide | Showજવાબ :
૨.૭૫ કરોડ
૨૦૧૫માં ભારતમાં સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હતું?
Hide | Showજવાબ :
૬૭.૫ વર્ષ
પશ્ચિમી સંસ્કૃતિનું વળગણ અને વિભક્ત કુટુંબમાં રહેવાની ભાવનાથી કોણે ફરજો અને નૈતિક મુલ્યોને ભુલાવી દીધા છે?
Hide | Showજવાબ :
સંતાનો
કોની સંખ્યામાં વધારો થવાથી સામાજિક અને શારીરિક સમસ્યાઓ જન્મ લઇ રહી છે?
Hide | Showજવાબ :
વૃદ્ધો
ગુજરાતમાં વૃદ્ધોની સંખ્યા કેટલી છે?
Hide | Showજવાબ :
૩૫ લાખ
ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા છે?
Hide | Showજવાબ :
અરુણાચલ પ્રદેશ
૨૦૦૧૧માં ભારતમાં વૃધ્ધ પુરુષોની સંખ્યા કેટલી હતી?
Hide | Showજવાબ :
૫.૧૧ કરોડ
૨૦૧૧ માં ભારતમાં વૃધ્ધ મહિલાઓની સંખ્યા કેટલી હતી?
Hide | Showજવાબ :
૫.૨૮ કરોડ
૨૦૦૫માં ભારતમાં લોકોનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હતું?
Hide | Showજવાબ :
૬૩.૨વર્ષ
ભ્રષ્ટાચાર કેવા પ્રકારનું દૂષણ માનવામાં આવે છે?
Hide | Showજવાબ :
વૈશ્વિક
લાંચ રિશ્વત, ભ્રષ્ટાચાર, કરચોરી, સંગ્રહખોરી, અને કાળા બજાર, જમીનના દબાણ, વગેરે કયા પ્રકારના અપરાધ છે?
Hide | Showજવાબ :
વ્હાઈટ કોલર
ખૂન, ચોરી, અપહરણ, લૂંટ-ફાટ, છેતરપિંડી, બળાત્કાર, છળકપટ, સાયબર ક્રાઇમ અને વ્યાપાર વગેરે કેવા પ્રકારનો અપરાધ છે?
Hide | Showજવાબ :
બ્લ્યુકોલર
કેન્દ્ર સરકારે વિશિષ્ટ યોગદાન બદલ કોને સન્માનિત કરવાનો કાયદો અમલમાં મૂક્યો છે?
Hide | Showજવાબ :
પૌઢો
સરકારે માતા-પિતા અને સિનિયર સિટીઝન્સની સારસંભાળ અને કલ્યાણ સંબંધી કાયદો ક્યારે અમલ માં મુક્યો છે?
Hide | Showજવાબ :
૨૦૦૭
સુવિધાયુક્ત ઘરડાઘરો, વૃદ્ધો માટે અલગ બગીચા, સંગીત, યોગ, રમતગમત જેવી પ્રવૃત્તિઓ, વગેરેનવની વ્યવસ્થા કોણે કરી છે?
Hide | Showજવાબ :
રાજ્ય સરકાર
વૃદ્ધોને બસ, રેલ્વે કે હવાઈ સફરમાં પુરુષ સ્ત્રીઓને ૩૦થી ૫૦ ટકા સુધીની રાહત કઈ યોજના અન્વયે અપાય છે?
Hide | Showજવાબ :
સિનિયર સિટીઝન્સની સ્કીમ
કઈ સ્કિમ હેઠળ વૃદ્ધોને બેંક પોસ્ટ ઓફિસની ડિપોઝિટોમાં વધુ વ્યાજ ચૂકવવામાં આવે છે?
Hide | Showજવાબ :
સિનિયર સિટીઝન્સની સ્કીમ
વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ કયા વર્ષમાં અમલમાં મુકાઈ છે?
Hide | Showજવાબ :
૧૯૯૯
વૃદ્ધ અંગેની રાષ્ટ્રીય નીતિથી વૃદ્ધોને શું લાભ મળે છે?
Hide | Showજવાબ :
પેન્શન, આર્થિક સહાય
સરકારી કર્મચારી દ્વારા વહીવટી અધિકારીઓ નિયત સમયમર્યાદામાં પૂરી કરવાની બાંહેધરી આપવાનો કયો ધારો અમલી બન્યો છે?
Hide | Showજવાબ :
નાગરિક અધિકાર પત્ર
માહિતી અધિકાર ધારો કયા વર્ષમાં અમલી બન્યો છે?
Hide | Showજવાબ :
૨૦૦૫
ભ્રષ્ટાચારને અટકાવવા ભારત સરકારે ભ્રષ્ટાચાર વિરોધી નિયમનો ધારો કયા વર્ષમાં અમલમાં મૂક્યો છે?
Hide | Showજવાબ :
૧૯૮૮
કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનું વડુ મથક ગુજરાતમાં કયાં આવેલું છે?
Hide | Showજવાબ :
અમદાવાદ
કેન્દ્રીય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કયા વર્ષમાં થઈ છે?
Hide | Showજવાબ :
19૬૪
અર્થતંત્રમાં કાળાનાણાંની સમસ્યા અને રાષ્ટ્રના વિકાસમાં અવરોધક કયું પરિબળ સમાજમાં વ્યાપેલું છે?
Hide | Showજવાબ :
ભ્રષ્ટાચાર
સમાજમાં શેનું આચરણ કરવાથી નૈતિક મૂલ્યો અને નીતિનિયમોનું ધોરણ નીચું જાય છે?
Hide | Showજવાબ :
ભ્રષ્ટાચાર
રોકડ લેવડદેવડ, ભેટસોગાદો, કીમતી આભૂષણો, વિદેશી પ્રવાસ, પક્ષપાતી વલણ, નિર્ણયમાં લાગવગ, વગેરે શેનો પ્રકાર ગણી શકાય?
Hide | Showજવાબ :
ભ્રષ્ટાચાર
સત્તા અને પદના દુરુપયોગથી શેનો જન્મ થાય છે?
Hide | Showજવાબ :
ભ્રષ્ટાચાર
સાર્વજનિક હોદ્દાનો કે પદનો વ્યક્તિગત લાભ લેવા માટે ઉપયોગ કરવો તેને શું કહેવાય છે?
Hide | Showજવાબ :
ભ્રષ્ટાચાર
સરકારી અધિકારી દ્વારા રાજસત્તાના બેફામ ઉપયોગ અને ભ્રષ્ટાચારની ફરિયાદ ને કોણ તપાસી શકે છે?
Hide | Showજવાબ :
ગુજરાત તકેદારી સેવા આયોગ
સરકારે મની લોન્ડરીંગ એક્ટ તથા કસ્ટમ એક્ટની ધારા ૧૩૫ અને ફેમા કાયદાઓમા શા અંગેના સુધારાઓ કર્યા છે?
Hide | Showજવાબ :
બ્લેકમની શોધવા
સરકારે ભ્રષ્ટાચારને અપરાધિક સ્વરૂપે ગુના તરીકે કયા કાયદામાં સમાવેશ કરેલ છે?
Hide | Showજવાબ :
બ્લેકમની
સાર્વજનિક જીવનમાં સત્તા કે પદનો દુરુપયોગ થતો રોકવા માટે સરકારે કયો કાયદો અમલી કર્યો?
Hide | Showજવાબ :
ભ્રષ્ટાચાર વિરોધી નિયમો-૧૯૯૮
કેન્દ્ર સરકારે બ્લેકમની એક્ટ કયા વર્ષમાં ઘડ્યો છે?
Hide | Showજવાબ :
૨૦૦૫
ગુજરાતમાં નાગરિકોને ૨૮ જેટલી સેવાઓની ઓનલાઈન અરજી, દસ્તાવેજોની ચકાસણી, પેમેન્ટ સુવિધા ની જાણકારી, વગેરે કઈ સંસ્થા આધારિત છે?
Hide | Showજવાબ :
કોમન સર્વિસ પોર્ટલ
પક્ષકારે કરેલી પ્રથમ અપીલ નિર્ધારિત સમયમાં જાણ ન થાય તો માહિતીના ઈન્કારથી નારાજ પક્ષકાર કેટલા દિવસ સુધી રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે છે?
Hide | Showજવાબ :
૯૦ દિવસ
સરકારી જે તે વિભાગ ત્રીસ દિવસમાં માહિતીનો નિકાલ ન કરે તો નારાજ પક્ષકાર કેટલા દિવસ સુધી પ્રથમ અપીલ દાખલ કરી શકે છે?
Hide | Showજવાબ :
૩૦ દિવસ
મદદનીશ જાહેર માહિતી અધિકારી નું ટૂંકું નામ શું છે.
Hide | Showજવાબ :
APIO
કેવા પ્રકારના કુટુંબોની વ્યક્તિઓએ સરકારી ઓફિસોમાં કોઈજ પ્રકારની ફી અને નકલો અંગે નો ચાર્જ ચુકવવાનો હોતો નથી?
Hide | Showજવાબ :
બી. પી. એલ.
ગુજરાત સરકારે ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો ક્યારે બહાર પાડ્યા છે?
Hide | Showજવાબ :
૫ મી ઓક્ટોબર ૨૦૦૫
ભારતની ગુપ્તચર સંસ્થાઓ રાષ્ટ્રીય સુરક્ષા તથા સલામતી એકતા અને અખંડિતતાને સ્પર્શે તેવી સંસ્થાઓને કયો ધારો લાગુ પડતો નથી?
Hide | Showજવાબ :
માહિતી અધિકાર કાયદો
૩ થી ૫ વર્ષની ઉંમરના બાળકોની અભ્યાસ નીતિમાં સરકારે શું ક્રાંતિકારી કદમ ભર્યું છે?
Hide | Showજવાબ :
નર્સરીને કાયદામાં સમાવવું
બાળકને સ્કૂલમાં પ્રવેશ આપતી વખતે ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે?
Hide | Showજવાબ :
ભેદભાવ
૬થી ૧૪ વર્ષના બાળક માટે ઉંમરના આધાર માટે જન્મનું પ્રમાણપત્ર ન હોય તો સ્કૂલ પ્રવેશ કરી શકાય કે નહીં?
Hide | Showજવાબ :
હા કરી શકાય
મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબત પર મનાઈ ફરમાવી છે?
Hide | Showજવાબ :
પ્રવેશ સમયે કેપિટેશન ફી
બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હક્કોનો કાયદો ક્યારે બન્યો?
Hide | Showજવાબ :
૨૦૦૯
ગુજરાત સરકારે ૨૦૧૨ના વર્ષમાં કઈ તારીખે અને કયા મહિનામાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ હક્કના નિયમો જાહેર કર્યા?
Hide | Showજવાબ :
૧૮ ફેબ્રુઆરી
બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ હક્કના નિયમો કયા વર્ષમાં જાહેર કર્યા છે?
Hide | Showજવાબ :
૨૦૧૨
વર્ગની કુલ ક્ષમતા થી ૨૫ ટકાની મર્યાદામાં ફરજિયાત પ્રવેશનો હુકમ સરકારે કોના માટે કર્યો છે?
Hide | Showજવાબ :
બી. પી. એલ. કુટુંબો
1) ભારત | A અત્યંત દયાજનક પરિસ્થિતિ |
2) બંધારણનો આત્મા | B બાળશ્રમિકોની સૌથી વધુ સંખ્યાનો દેશ |
3) બાળમજૂરો | C યુ.એનનો ૧૯૯૨ નો ઘોષણાપત્ર |
4) બાળઅધિકારો | D બંધારણીય ઈલાજોના અધિકાર |
Hide | Show
જવાબ :
1) – D
2) - B
3) - A
4) - C
1) ઈ.સ. ૨૦૦૯ | A બંધારણી જોગવાઈઓ |
2) 14 વર્ષથી નાના બાળકોને નોકરીએ રખાય નહી. | B આ પ્રકારના શ્રમિકોનું શોષણ કરી શકાય છે. |
3) શ્રમનું સસ્તામાં સસ્તું ઉત્પાદન | C 6 થી 14 વર્ષના બાળકોનેમફત શિક્ષણનો અધિકાર |
4) બાળમજૂરો | D બાળશ્રમિકો |
જવાબ :
1) C
2) A
3) D
4) B
1) 2011 ના અહેવાલ મુજબ વૃધ્ધ પુરુષોની સંખ્યા | A 5.28 |
2) 2011 ના અહેવાલ મુજબ વૃધ્ધ મહિલાઓ સંખ્યા | B 5.11 |
3) 2015 માં ભારતનું સરેરાશ આયુષ્ય | C 1999 |
4) આંતરરાષ્ટ્રીય વૃધ્ધવર્ષ | D 67.5 |
જવાબ :
1) B
2) A
3) D
4) C
1) વૃધ્ધો અંગેની રાષ્ટ્રીય નીતી | A 35 લાખ |
2) ગુજરાતમાં વૃધ્ધોની સંખ્યા | B આંતરરાષ્ટ્રીય વૃધ્ધવર્ષ |
3) સંયુક્ત રાષ્ટ્રો (UN) | C તા: ૧ ઓક્ટોમ્બર |
4) વિશ્વ વૃધ્ધ દિન | D ૧૯૯૯ |
જવાબ :
1) D
2) A
3) B
4) C
1) બ્લ્યુકોલર અપરાધ | A વૈશ્વિક દૂષણ |
2) ભ્રષ્ટાચાર | B વાઈટકોલર અપરાધ |
3) કાળાનાણાની સમસ્યા | C ખૂન, ચોરી, અપહરણ, બળાત્કાર |
4) બિનઅધિકૃત કબજો મેળવવો | D રાષ્ટ્રના વિકાસમાં અવરોધક |
જવાબ :
1) C
2) A
3) D
4) B
આ પ્રકરણમાં રાસાયણિક પ્રક્રિયાની સમજૂતી, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું, સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય,રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિ-વિસ્થાપન પ્રક્રિયા, રોજિંદા જીવનમાં જોવા મળતી ઓક્સિડેસન પ્રક્રિયાઓની અસર અને ખોરાપણું નો સમાવેશ થાય છે.
આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.