ભારતે આઝાદી પછી આર્થિક વિકાસ સાધવા શું કર્યું તે વિગતે જણાવો.
Hide | Showજવાબ :
આઝાદી પ્રાપ્ત કરી ત્યારબાદ ઝડપી આર્થિક વિકાસ સાધવા ભારત સરકારે એક પછી એક અનેક પંચવર્ષિય યોજનાઓ અમલમાં મૂકી. આ માટે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ,અને ઔદ્યોગિક નીતિઓની જાહેરાત કરી. ઘણી યોજનાઓ પૂરી થઇ પરંતુ આર્થિક વિકાસ સાધવામાં સફળતા મળી નહી.
સરકારે ભૂતકાળની ભૂલો સુધારી લેવા જુદી જુદી આર્થિક નીતિઓને નવો ઓપ આપવાનો નિર્ધાર કર્યો.જેના પરિણામે ૧૯૯૧ની ઔધોગિક નીતિમાં આર્થિક વિકાસને વેગ મળે તેવા સુધારા અમલી કરાયા.જે નીચે મુજબ ઓળખાયા.
1. ઉદારીકરણ
2. ખાનગીકરણ
3. વૈશ્વિકીકરણ
ટકાઉ વિકાસ (સુપોષિત વિકાસ) વિષે ટૂંકમાં જણાવો.
Hide | Showજવાબ :
ટકાઉ વિકાસની વ્યાખ્યા મુજબ ભાવી પેઢીની જરૂરિયાતો પૂરી પડવાની ક્ષમતાને નુકસાન પહોચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી તે છે. પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી ઉપર ટકાઉ વિકાસ કરી શકાય.
માનવોના સમૂહો વચ્ચે કુદરત અને માનવીએ પોતે ઉભા કરેલા અઆવરણ એટલે કે પર્યાવરણ પર ગંભીર સમસ્યાઓ ઉદભવી જેથી ટકાઉ વિકાસનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો. આજની પેઢીની વિકાસની જે ગતિ જોવા મળે છે તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી.વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે તે કદાચ ભાવી પેઢીને પ્રાપ્ત ન થાય તેવો ભય રહેલો છે. જે આજની અગત્યની સમસ્યા છે.
આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે. અને તેનું ગુણવત્તા ઓછી થાય છે. આવા સમયે વિકાસના ખ્યાલોમાં પરિવર્તન જરૂરી છે. આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે.
આર્થિક ઉદારીકરણના ગેરલાભો કયા છે?
Hide | Showજવાબ :
ઉદારીકરણની નીતિને કારણે ખાનગી ક્ષેત્રો પરના અંકુશો ઘટ્યા છે પણ ઈજારાશાહી ઓછી થઇ નથી. આર્થિક અસમાનતા વધી છે. ઔધોગિક ક્ષેત્ર પર વધુ ધ્યાન આપવાથી કૃષિ ક્ષેત્ર પછાત રહી ગયું છે. આયાત વધુ અને ઓચ્ચી નિકાસને કારણે વિદેશી દેવું વધ્યું છે.
ખાનગીકરણના માર્ગો જણાવો.
Hide | Showજવાબ :
ખાનગીકરણ માટે બે વિકલ્પો છે.જેમાં જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તેમને ખાનગી ક્ષેત્ર્ને શોપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સંચાલિત એકમોની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે છે અને સંચાલન ખાનગી કંપનીઓને સોંપે છે.
વૈશ્વિકીકરણના ફાયદા જણાવો.
Hide | Showજવાબ :
વૈશ્વિકીકરણના મુખ્ય ફાયદાઓમાં દેશમાં વિદેશી મૂડીરોકાણને મહત્વ મળે છે.વિકાસશીલ દેશોના ઉત્પાદનને સરળતાથી મેળવી શકાય છે તથા ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રેહવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે.
વૈશ્વિકીકરણના ગેરફાયદા જણાવો.
Hide | Showજવાબ :
વૈશ્વિકીકરણને કારણે ગરીબી અને બેરોજગારીની સમસ્યા હાલ કરવામાં ધારી સફળતા મળી નથી.વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિના અપેક્ષિત લાભો પૂરતા પ્રમાણમાં મળતા નથી.
આર્થિક ઉદારીકરણ અનુસાર કયા આર્થીક સુધારા થયા છે?
Hide | Showજવાબ :
રાજ્યે ૧૮ ઉદ્યોગો સિવાયના ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ રદ કરી. રેલ્વે, અણુક્ષેત્ર,અને સંરક્ષણ સિવાયના ક્ષેત્રો ખાનગી ક્ષેત્રો માટે ખુલ્લા મુકાયા છે. ઉદ્યોગોનીફરજીયાત નોંધણી પ્રથા રદ કરી છે તથા પ્રદુષણ અને પર્યાવરણને નુકસાન કર્તા ન હોય તેવા ઉદ્યોગો માટે કેન્દ્ર સરકારની પરવાનગી મેળવવાની જોગવાઈ રદ કરી.
આર્થિક ઉદારીકરણના લાભ જણાવો.
Hide | Showજવાબ :
આર્થિક ઉદારીકરણથી ઉત્પાદન ક્ષમતાવધી છે. વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઇ છે. વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઇ છે. હુંડીયામણની અનામતમાં વધારો થયો છે. તથા આ ઉપરાંત આંતરમાળખાકીય સગવડોમાં પણ વિશેષ વધારો થયો છે. વગેરે ફાયદાઓ ગણી શકાય.
ખાનગીકરણ એટલે શું તે જણાવો.
Hide | Showજવાબ :
ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના માલિકી પોતાની પાસે અને સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપવું અથવા સંચાલાન પોતાની પાસે રાખવું અને માલિકી ખાનગી ક્ષેત્રને સોંપવી.તે પ્રક્રિયા.
ખાનગીકરણના લાભો જણાવો.
Hide | Showજવાબ :
ખાનગીકરણથી ઉદ્યોગોની સંખ્યા વધી છે. ઉપરાંત મૂડીલક્ષી અને વપરાશી વસ્તુઓનું ઉત્પાદન પણ વધ્યું છે તથા જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતા પણ સુધરી છે.
આર્થિક ઉદારીકરણ અંગે તથા તેના ફાયદા ગેરફાયદા અંગે ટૂંકનોંધ લખો.
Hide | Showજવાબ :
ઉદારીકરણ અંગે શરૂઆતના તબક્કામાં જે આર્થિક સુધારા કરવામાં આવ્યા તે નીચે મુજબ છે.
આવા અનેક ફેરફારો થયા જેના લાભ અને ગેરલાભ નીચે મુજબ છે.
સૌથી વધુ નુકશાન તો આયાતો વધવાથી અને નિકાસો ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો તે ગણી શકાય.
જવાબ :
ખાનગીકરણની પ્રક્રિયામાં રાજ્ય હસ્તકની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને આપી દેવામાં આવે છે. ખાનગી ક્ષેત્રમાં બે માર્ગો અપનાવી શકાય છે. પહેલા જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હોય તે ક્ષેત્રો ખાનગી વિભાગો માટે ખુલ્લા મુકવામાં આવે. બીજી પદ્ધતિમાં રાજ્ય દસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે છે તથા સંચાલન ખાનગી કંપનીઓને સોંપે છે. આને ખાનગીકરણની સરકારી નીતિ કહે છે.
જવાબ :
વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. જેના પરિણામે વસ્તુઓ સેવાઓ ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થાય. વૈશ્વિકીકરણથી બે દેશો વચ્ચેના વ્યાપારના અવરોધો દુર કરવા, એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું જેથી બે દેશો વચ્ચે નાણા વિનિમય સરળતાથી થઇ શકે, ટેકનોલોજી હેરફેરના અવરોધો દુર થાય, વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી વગેરે ગણી શકાય.
આની ભારતીય અર્થતંત્ર ઉપર મિશ્ર અસર થઇ છે. જેના લાભ ગેરલાભ નીચે પ્રમાણે છે.
યોગ્ય જોડકા જોડો :
1) ઔદ્યોગિક નીતિની સ્થાપના |
A પંચવર્ષીય યોજનાઓનો અમ |
2) આર્થિક વિકાસ |
B ખાનગી ક્ષેત્રના નિયંત્રણમાં ઘટાડો |
3) આર્થિક સુધારા |
C ૧૯૯૧ |
4) આર્થિક ઉદારીકરણ | D ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ |
Hide | Show
જવાબ :
1) – C
2) - A
3) - D
4) - B
યોગ્ય જોડકા જોડો :
1) 18 સરકારી ઉદ્યોગો |
A રેલ્વે, સંરક્ષણ, અણુક્ષેત્ |
2) કાયમી સરકાર હસ્તકના ખાતાઓ |
B આર્થિક ઉદારીકર |
3) ફરજીયાત નોંધણી પ્રથા રદ |
C ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ |
4) આર્થિક વિકાસનું પોષકબળ | D જાહેર સાહસો માટે અનામત. |
Hide | Show
જવાબ :
1) - D
2) - A
૩) - B
4) - C
યોગ્ય જોડકા જોડો :
1) ઉદારીકરણ | A ઉદારીકરણ |
2) ઉત્પાદનમાં વધારો | B વિદેશી હુંડીયામણની અનામતમાં વધારો. |
3) આયાતનો વધારો | C કેન્દ્ર સરકારની મંજુરીની પ્રથા રદ |
4) પ્રદુષણ ન ફેલાય તેવા ઉદ્યોગો | D વિદેશી દેવામાં વધારો |
Hide | Show
જવાબ :
1) - B
2) - A
૩) - D
4) - C
યોગ્ય જોડકા જોડો :
1) ખાનગીકરણ | A ઈજારાશાહીમાં ખુબ વધારો |
2) આવકની અસમાનતામાં વધારો | B રાજ્યના ઉદ્યોગોની માલિકી ખાનગી એકમોને |
3) આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ | C વિદેશી મૂડીરોકાણને મહત્વ. |
4)વૈશ્વિકીકરણ | D ખાનગીકરણ |
Hide | Show
જવાબ :
1) - B
2) - D
3) - A
4) - C
યોગ્ય જોડકા જોડો :
1) વૈશ્વિકીકરણ | A આર્થિક ઉદારીકરણ |
2) ભારતના અર્થતંત્ર પર મિશ્ર અસરો | B બેરોજગારીની સંખ્યામાં વધારો |
3) વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ | C વૈશ્વિકીકરણ |
4) ખાનગી ક્ષેત્રોના અંકુશો દુર કરવા. | D ઉદારીકરણનીતિ |
Hide | Show
જવાબ :
1) - B
2) - C
૩) - D
4) - A
આ પ્રકરણમાં રાસાયણિક પ્રક્રિયાની સમજૂતી, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું, સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય,રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિ-વિસ્થાપન પ્રક્રિયા, રોજિંદા જીવનમાં જોવા મળતી ઓક્સિડેસન પ્રક્રિયાઓની અસર અને ખોરાપણું નો સમાવેશ થાય છે.
આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.