ભૂમિગત જળના ઉપયોગો જણાવો? (સ્વાધ્યાય 3.1)
Hide | Showજવાબ :
મુખ્ય જળસ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન અગત્યનું છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. બધા જ પ્રકારના જીવો માટે ભૂમિગત જાળ અનિવાર્ય છે. આ જળ પીવાના કામમાં આવે છે. ઘર વપરાશમાં તેનો ઉપયોગ છે. ગંદકી દૂર કરી સ્વસ્છતા જાળવવામાં આ જળ બહુ મહત્વનુ છે. તેનો ઉપયોગ ઉદ્યોગોમાં પણ થાય છે. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઇ માટે થાય છે.
દામોદર ખીણ યોજના કઈ નદી પર આવેલી છે? અને તેનો લાભ કયા રાજ્યોને મળે છે?
Hide | Showજવાબ :
દામોદર ખીણ યોજના દામોદર નદી ઉપર છે. અને ઝારખંડ, પશ્ચિમ બંગાળને તેનો લાભ મળે છે.
કાવેરી નદી ઉપર કઈ યોજના આવેલી છે?
Hide | Showજવાબ :
કાવેરી નદી ઉપર કૃષ્ણરાજ સાગર નામની યોજના આવેલી છે.
ભારતમાં શહેરો અને ગામડામાં પેયજળની અછત ટકાવારી પ્રમાણે કેટલી છે?
Hide | Showજવાબ :
ભારતના શહેરોમાં 8% અને 50% ગામડામાં પેયજળનો તીવ્ર અછત છે.
એક કિલો ઘઉં ઉત્પન્ન કરવા માટે પાણીનો કેટલો જથ્થો આવશ્યક છે?
Hide | Showજવાબ :
એક કિલો ઘઉં ઉત્પન્ન કરવા લગભગ 1500 લિટર પાણીની આવશ્યકતા હોય છે.
ઓડિશા રાજ્યને કઈ યોજનાનો લાભ મળે છે?
Hide | Showજવાબ :
ઓડિશા રાજ્યને હીરાકુંડ યોજનાનો લાભ મળે છે.
મહિસાગર નદી પર કઈ સિંચાઇ યોજનાઓ આવેલી છે?
Hide | Showજવાબ :
મહિસાગર નદી પર કડાણા અને વણાક્બોરી સિંચાઇ યોજનાઓ આવેલી છે.
ગ્રાન્ડ એનિક્ટ નામની નહેરનું નિર્માણ ક્યારે અને કઈ નદીમાંથી કરવામાં આવ્યું હતું?
Hide | Showજવાબ :
કાવેરી નદીમાંથી બીજી સદીમાં આ નહેરનું નિર્માણ થયું હતું.
મિઝોરમમાં કેટલા ટકા વિસ્તારમાં સિંચાઇ થાય છે?
Hide | Showજવાબ :
મિઝોરમ રાજ્યમાં સ્પષ્ટ વાવેતરના ક્ષેત્રના 7.3% વિસ્તારમાં સિંચાઇ થાય છે.
સરદાર સરોવર સિંચાઇ યોજનનો લાભ કયા રાજ્યોને મળે છે?
Hide | Showજવાબ :
સરદાર સરોવર સિંચાઇ યોજનાનો લાભ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોને મળે છે.
જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો જણાવો? (સ્વાધ્યાય 1.1)
Hide | Showજવાબ :
જળ એક રાષ્ટ્રીય સંપદા છે. જળની ઉપલબ્ધિ મર્યાદિત છે. એટલે તેનો ઉપયોગ મર્યાદાપૂર્વક થાય તે જરૂરી છે. જળનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે. માટે તેના પર્યાપ્ત જથ્થામાં પ્રાપ્યતા તથા તેની જાળવણી માટે વિવિધ ઉપાયો હાથ ધરવાની જરૂર છે. જળ સંસાધનની જાળવણી અને સંચય માટે વધુમાં વધુ નદીઓ પર બંધ બાંધી જળાશયોનું નિર્માણ કરવું જોઈએ. એક નદી બેસીન સાથે બીજી નદી બેસીનનું જોડાણ કરી ભૂમિગત જળસ્તરને ઉપર લાવવાના પ્રયત્નો કરવા જોઈએ.
જળ સંચય કર્યા પછી તેનું વિતરણ દેશના બધા વિસ્તારો માટે યોગ્ય રીતે થાય તે જોવાની સરકારની પ્રાથમિક ફરજ છે.
જળાશયોના નિર્માણ માટે કોઈ આંતરરાજ્ય વિવાદ હોય તો તેનો યોગ્ય નિકાલ લાવી જળ સંરક્ષણને વ્યવસ્થિત બનાવવું જોઈએ.
જળ પ્લાવિત ક્ષેત્રોના વિકાસ અને વૃષ્ટિ જળનો સંચય જળ સંસાધન સંરક્ષણ માટે બહુ જ અગત્યના ઉપાયો છે.
ભારતમાં જળ સંકટ સર્જવાના સંજોગો જણાવો? (સ્વાધ્યાય 1.2)
Hide | Showજવાબ :
ભારતમાં વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, લોકોના બદલાતા જીવનધોરણના પાણીની અછત નિરંતર વધતી જાય છે. પાણી પુરવઠાની પરિસ્થિતી અને સ્થાનિક વિતરણની અસમાનતાના કારણે જળ સંકટની પરિસ્થિતી સર્જાય છે.
હાલમાં પશ્ચિમ રાજસ્થાનના શુષ્ક ક્ષેત્રો તથા દક્ષિણના દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશના આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા છે.
પીવાના પાણીની પ્રાપ્તિ માટે અનેક પ્રયત્નો છતાં શુધ્ધ પાણીની માંગ અને પુરવઠા વચ્ચે અંતર રહ્યું છે. ભારતમાં 8% શહેરોમાં અને 50% જેટલાં ગામોને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવાની તકલીફ છે.
વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા વધારે પાણી ખેંચાવાના કારણે ભૂમિગત જળનું સ્તર નીચું ગયું છે. પરિણામે ભૂમિગત જળના જથ્થામાં ધટાડો થયો છે.
કેટલાક રાજ્યોમાં ભૂમિગત જળના જથ્થાને વધારે પ્રમાણમાં કાઢવાને લીધે દેશમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પાણીની ઘટતી ગુણવત્તા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
કૃષિ ઉપરાંત ઉદ્યોગીમાં પાણીનો અનિયંત્રિત ઉપયોગ થાય છે. શહેરની ઘરેલુ ગટરો તથા ઔદ્યોગિક એકમોના મલીન જળને કારણે જળ પ્રદુષણ વધી રહ્યું છે.
વૃષ્ટિ જળ સંચય વિશેની માહિતી આપો? (સ્વાધ્યાય 1.3)
Hide | Showજવાબ :
જમીનમાં પાણીનો જથ્થો વધારવા માટે વૃષ્ટિ જળને રોકીને પાણી એકઠું કરવા કૂવા, બંધારા, ખેત, તલાવડીઓ વગેરેનું નિર્માણ કરી જળ સંચય કરાય છે. આ પધ્ધતિઓ દ્વારા જળ સંચયન થાય છે, પરિણામે ભૂમિગત જળસ્તર ઉંચુ આવે છે. વૃષ્ટિ જળ સંચયના ઉદ્દેશો નીચે પ્રમાણે છે.
• ભૂમિગત જળને એકઠું કરવાની ક્ષમતા વધારવી તથા તેના જળસ્તરનો વધારો કરવો.
• જળ પ્રદુષણને ઘટાડવું.
• ભૂમિગત જળની ગુણવત્તામાં સુધારો કરવો.
• સ્થળ-માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા.
• સપાટી પરથી વહી જતા પાણીનો જથ્થો ઓછો કરવો.
• ઉનાળામાં તથા લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલુ જરૂરિયાતો પુરી કરવી.
• પાણીની વધતી જતી માંગને પુરી કરવી.
• મોટા શહેરોમાં બહુમાળી આવાસો વચ્ચે વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે ભૂગર્ભ ટાંકાઓ અથવા વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવી.
નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્ય સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરો. (સ્વાધ્યાય 4.2)
1. ભાખરા-નાંગલ | A બિહાર |
2. કોસી | B પંજાબ |
3. નાગાર્જુન સાગર | C ગુજરાત |
4. નર્મદા | D આંધ્ર પ્રદેશ |
(A) (1 - B), (2 - A), (3 - C), (4 - D)
(B) (1 - B), (2 - A), (3 - D), (4 - C)
(C) (1 - D), (2 - C), (3 - B), (4 - A)
(D) (1 - C), (2 - D), (3 - A), (4 - B)
જવાબ :
(B) (1 - B), (2 - A), (3 - D), (4 - C)
આ પ્રકરણમાં રાસાયણિક પ્રક્રિયાની સમજૂતી, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું, સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય,રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિ-વિસ્થાપન પ્રક્રિયા, રોજિંદા જીવનમાં જોવા મળતી ઓક્સિડેસન પ્રક્રિયાઓની અસર અને ખોરાપણું નો સમાવેશ થાય છે.
આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.