તફાવત આપો: ખરીફ પાક અને રવિ પાક. (સ્વાધ્યાય-૩.1)
Hide | Showજવાબ :
ખરીફ પાક:
• ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે.
• પાકનો સમય જૂન-જુલાઈથી ઓક્ટોમ્બર- નવેમ્બર સુધીનો હોય છે.
• ડાંગર, મકાઈ, જુવાર, બાજરી,કપાસ, તલ, મગફળી અને મગ-મઠ વગેરે ખરીફ પાક છે.
રવી (શિયાળુ) પાક:
• શિયાળામાં લેવાતા પાકને રવિ પાક કહે છે.
• પાકનો સમય ઓક્ટોમ્બર- નવેમ્બરથી માર્ચ-એપ્રિલ સુધીનો હોય છે.
• ઘઉં, ચણા, જાવ, સરસવ,રાયડો, અળસી વગેરે રવી પાક છે.
કોફીના પાકની અનુકૂળતાઓ જણાવો. (સ્વાધ્યાય-૩.2)
Hide | Showજવાબ :
ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે.અને કયો પાક લેવાય છે? (સ્વાધ્યાય-૩.૩)
જવાબ :
• ઓછા વરસાદ અને સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે જે પાક લેવામાં આઅવે છે તેને સુકી ખેતી કહે છે.
• ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં ઘઉંનો પાક લેવામાં આવે છે, તેને ભાલિયા ઘઉં કહે છે.
• આ ઉપરાંત ચણાનો પાક લેવામાં આવે છે.
કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓના નામ આપો ?
Hide | Showજવાબ :
કૃષિ-સંશોધન મા રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓના નામ નીચે મુજબ છે .
(1) ICAR ( Indian council of Agriculture Research )
(2) DAR ( Department of Agricultural Research and Education )
તલના પાક વિષે માહિતી આપો.
જવાબ :
પહાડી ઢોળાવો પર ચા નો પાક શા માટે ઉગાડવામાં આવે છે? તે સમજાવો.
Hide | Showજવાબ :
જ્યાં પાણી સહેલાઇથી વહી જાય તેવી ઢોળાવવાળી, અને લોહતત્વ વાળી જમીન ચા ના પાક માટે આવશ્યક છે. ચા ના પાક માટે 200 સેમી. જેટલો વરસાદ અને 20 થી ૩૦ સે. તાપમાન વધારે અનુકૂળ હોય છે.
જો ચાના ક્યારાઓમાં પાણી ભરાઈ રહે તો તેના મૂળ કોહવાઈ જાય છે અને છોડ નષ્ટ થાય છે. વળી ખુબ વરસાદ પડે તેવી લાંબી વર્ષાઋતુ અને વારંવાર પડતા વરસાદી ઝાપટા ચા ને વધુ માફક આવે છે.
એટલા માટે જ ચા ના છોડને અનુકૂળ આબોહવા ધરાવતા પહાડી ઢોળાવો પર ચા ના પાકનેઉગાડવામાં આવે છે.
બાગાયતી ખેતી માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવી જરૂરી છે?
Hide | Showજવાબ :
બાગાયતી ખેતી માટે સૌ પ્રથમ મોટી મૂડી જરૂરી છે. તેના માટે ટેકનિકલ જ્ઞાન યંત્રો, ખાતરો, સિંચાઈ તેમજ પરિક્ષણ, સંગ્રહણ અને પરિવહનની સગવડો તથા સુદૃઢ આયોજનની જરૂર પડે છે.
રબરનું ઉત્પાદન કરતા ભારતના મુખ્ય રાજ્યો કયા છે?
Hide | Showજવાબ :
ભારતના કેરલ, તમિલનાડુ, કર્ણાટક, અસમ, અને ત્રિપુરા એ રબરનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે.
ભારતમાં કૃષિ ક્ષેત્રે મુખ્યત્વે કયા કયા રસાયણિક ખાતરો કયા છે?
Hide | Showજવાબ :
ભારતમાં મુખ્યત્વે NPK (નાઈટ્રોજન, ફોસ્ફરસ,પોટાસ), DAP (ડાઈ એમોનિયમ ફોસ્ફેટ ) યુરીયા અને જૈવિક ખાતરો જેવા રસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે.
ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ માટે સરકારે કયો કાયદો કાર્યો છે?
Hide | Showજવાબ :
ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા સરકારે ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરી છે.
કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. (સ્વાધ્યાય ૧.૧)
Hide | Showજવાબ :
ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. ખેતપેદાશો, સિંચાઈ ખેતી, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના છ પ્રકાર પાડવામાં આવે છે.
1. જીવન નિર્વાહ ખેતી:
• ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી છે. નાના કદના ખેતરોમાં મોંઘા બીયરનો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ પોષાય તેમ નથી. ખેતરોમાં થતું અનાજનું ઉત્પાદન તેમના પરિવારના ભરણપીષણ માંજ વપરાય છે.
• તેને જીવનનિર્વાહ ખેતી કે આત્મ નિર્વાહ ખેતી કહે છે.
2. સુકી ખેતી:
• વરસાદ ઓછો પડવાને લીધે અને સિંચાઈની અપૂરતી સગવડ હોવાને લીધે માત્ર વરસાદને આધારે જ થતી ખેતીને સુકી ખેતી કહે છે.
• આવા વિસ્તારમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે વર્ષમાં માત્ર એક જ પાક લઇ શકાય છે.
• અહી જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાત વાળા પાકોની ખેતી થાય છે.
• ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે.
3. આદ્ર ખેતી:
• જ્યાં વરસાદનું પ્રમાણ વધારે છે, અને સિંચાઈની સગવડ પણ વધારે છે તેવા વિસ્તારોમાં આદ્ર ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓચ્ચો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતા વધુ પાક લઇ શકાય છે.
• જેમાં ડાંગર, શેરડી કપાસ, ઘઉં અને સક્ભાજીની ખેતી કરાય છે.
4. સ્થળાંતરિત (ઝૂમ) ખેતી:
• આ પ્રકારની ખેતી જંગલોના વ્રુક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરીને કરવામાં આવે છે.
• અહી બે-ત્રણ વર્ષ ખેતી કરાય છે. જમીનની ફળદ્રુપતા ઓછી થતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરુ કરવામાં આવે છે. તેને ઝૂમ ખેતી પણ કહે છે.
• આ ખેતીમાં ધન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે.
• પ્રમાણમાં આ ખેતીમાં ઉત્પાદન ઓછુ થાય છે.
5. બાગાયતી ખેતી:
• બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. કેટલાક પાકો લાંબા સમય સુધી ઉત્પાદન આપતા હોવાથી પાકો ઉછેરવા મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થાય છે. તેથી આ ખેતીને બાગાયતી ખેતી કહે છે.
• આ પ્રકારની ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, યંત્રો, ખાતર, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનમાં પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે.
• આમ, રબર,ચા, કોફી, કોકો, નારિયેળ વગેરેના પાકો લેવામાં આવે છે.
• ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખુબ જ માવજત સાથે ખેતી કરવામાં આવે છે.
6. સઘન ખેતી:
• જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રસાયણિક ખાતરો, કીટનાશકો, ઉંચી જાતના બિયારણો અને યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકારણ આવી ગયું છે.
• આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. અને આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધુ કરાય છે.
• અહી હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખુબ જ વધારો થયેલ છે. આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે.
• આ ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્વ આપતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે.
ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો. (સ્વાધ્યાય-૧.૨)
Hide | Showજવાબ :
ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતો માટે જમીન માલિકી, ખેત ધિરાણ, અને ખેત પેદાશોના વેચાણ અંગે ઘણા સંસ્થાગત સુધારા કર્યા છે.
• સરકારે જમીનદારી પ્રથા નાબુદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે. ‘ખેડે તેની જમીન’ કાયદા દ્વારા ખેડનારને જમીનમાલિકીનો સાચો હક આપ્યો છે.
• જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીનમાલિકીની અસમાનતા દુર કરેલ છે.
• કિસાન ક્રેડીટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે.
• સરકાર બિયારણો અને ખાતર તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસીડી અને આર્થિક મદદ કરે છે.
• પ્રધાનમંત્રી પાક બીમાં યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વિમ્કીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે.
• દુકાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય કારવામાં આવે છે.
• માર્કેટ યાર્ડમાં ખેતપેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે.
• ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ-વેચાણ સંઘ, સરકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશાવ્યવહારની સુવિધા પૂરી પાડી છે.
• ખેડૂતો પાસેથી ખેતપેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે કેટલીક સંસ્થાઓ કાર્યરાત છે. જેવીકે,
I. ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ (National Agricultural co. operative marketing federation of india.
II. ગુજરાત તેલીબીયા ઉત્પાદક સંઘ (Gujarat Co. operative oil seedsgrower’s federation)
III. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (National Dairy Development board)
વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ લખો. (સ્વાધ્યાય- ૧.૩)
Hide | Showજવાબ :
• ભારતના ખેડૂતને પોતાની ખેતપેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે તેવા આશયથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાઇ છે.
• વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રમાં કેટલાક પરિવર્તનો આવ્યા છે.ખેતી પાકોની નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે.
• ગુજરાત માંથી કપાસ, મરચા, તલ ચીનના બજારમાં અને વિશાવના વિવિધ ફળો ભારતના બજારમાં મળતા થયા છે.
• વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના ‘જીનેટીકલી મોડીફાઈડ બી.ટી. બિયારણો આવ્યા એના લીધે ખેતી ખર્ચાળ બની છે.
• જોકે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં વધારો થયો છે.
• આયાત સરળ થતા ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતા તેમના પેટન્ટ રજીસ્ટ્રેશનની જરૂર ઉભી થઇ છે. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તા સભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે.
• ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
• કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતી અને સધ્ધરતા વધારવા આયોજન બધ્ધ પગલા ભરવા પડશે.
• વધતી જાતિ વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહ રચના ગોઠવવી જરૂરી છે.
‘ભારતનો ઘઉંનો પાક’ સવિસ્તાર સમજાવો. (સ્વાધ્યાય- 1.4)
જવાબ :
• ઘઉં એ ડાંગર પછી આપણા દેશનો બીજો મહત્વનો પાક છે. તે દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે.
• ઘઉં એ સમશીતોષ્ણ કટિબદ્ધનો રવિ પાક છે. ઘઉંના પાક માટે કાળી કે ફળદ્રુપ ગોરાડું જમીન અને 75 સે.મી વાર્ષિક વરસાદ જરૂરી છે.
• સિંચાઈની મદદથી ઓછા વરસાદ વાળા ભાગમાં પણ ઘઉં ઉગાડવામાં આવે છે. 100 સે.મી. થી વધુ વિસ્તારવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી.
• હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન લગભગ બમણું થયું છે. ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં થાય છે. દેશમાં કુલ ઘઉં ઉત્પાદનનો બે તૃતીયાંશ ભાગ આ રાજ્યોનો હોય છે.
• આ રાજ્યોમાં સિંચાઈની સગવડ હોવાથી ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે. પંજાબમાં નહેરોના પાણીને લીધે ઘઉંનો વિપુલ પાક થાય છે. એટલે તો પંજાબને ‘ઘઉંનો કોઠાર’ કહેવામાં આવે છે.
• મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં પણ ઘઉંનું વાવેતર થાય છે.
• ગુજરાતમાં ભાલ વિસ્તારમાં ‘ભાલિયા ઘઉં થાય છે. આ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જુનાગઢ, ખેડામાં ઘઉં થાય છે.રોજીંદા ખોરાકમાં વપરાતા બીજા સર્વ પ્રકારના અનાજમાં પોષકતત્વોની દ્રષ્ટીએ ઘઉં શ્રેષ્ઠ છે.
• ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, લપસી, લાડુ, સુખડી, પાઉં, પૂરી, કેક, બિસ્કીટ વગેરે અનેક વાનગીઓ બને છે.
• બધાજ પ્રકારના અનાજ કરતા ઘઉંમાં પૌષ્ટિક તત્વો વધારે છે. આથી જ ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે.
આ પ્રકરણમાં રાસાયણિક પ્રક્રિયાની સમજૂતી, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું, સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય,રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિ-વિસ્થાપન પ્રક્રિયા, રોજિંદા જીવનમાં જોવા મળતી ઓક્સિડેસન પ્રક્રિયાઓની અસર અને ખોરાપણું નો સમાવેશ થાય છે.
આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.