ભારતમાં નદીઓને ‘લોકમાતા’ શા માટે કહેવામાં આવે છે?
Hide | Showજવાબ :
પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે વિકાસ પામી છે.
ભારતમાં નદીઓ પીવાનું પાણી, ઘરવપરાશનું પાણી, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો પૂરી પાડે છે.
નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃધ્ધ બનાવ્યું છે. પ્રાચીન કાળથી નદી કિનારાના ઊંડા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપુર સૌદર્ય અને કળા- કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસા માંથી મળ્યો છે. તેથી આપણે નદીઓને ‘લોકમાતા’ નું બહુમાન આપ્યું છે.
વારસો એટલે શું?
Hide | Showજવાબ :
વારસો એટલે એક પેઢીની ‘સંસ્કૃતિ’ ની અનેકવિધ બાબતો તેની અનુગામી પેઢીને પ્રદાન કરવું. જે તે પેઢીએ પોતે જે સીખેલ હોય, મેળવેલ હોય તેમાં ઉમેરો કરીને આગળની પેઢીને આપે છે. આમ, પેઢી દર પેઢી જે કઈ મળે તેને વારસો કહે છે.
સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે કેવી રીતે?
Hide | Showજવાબ :
દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઈત્યાદી વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. માનવસમાજની ટેવો, મુલ્યો, આચાર-વિચાર, ધાર્મિક પરંપરાઓ, કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિઓ, રહેણીકારની વગેરે સંસ્કૃતિ નક્કી કરે છે. તેથી એમ કહી શકાય કે સંસ્કૃતિ માનવીને ‘જીવન જીવવાની રીત’ શીખવે છે.
આપણા સંસ્કૃતિક વારસામાં ઐતિહાસિક સ્થળો તથા મહત્વની શોધો કઈ કઈ છે?
Hide | Showજવાબ :
મંદિરો, શીલાલેખો, સ્તુપો, વિહારો, મસ્જીદો, કિલ્લાઓ, રાજમહેલો તેમજ ઉત્ખનન કરેલા સ્થળો ઐતિહાસિક સ્મારકો છે.
સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિ નિકેતન (કોલકત્તા), દિલ્હી વગેરે ઐતિહાસિક સ્થળો છે. તથા ભાષા, લિપિ, અંકો,શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ,યુદ્ધશાસ્ત્ર, ધર્મ, વિધિ- વિધાન, પર્યાવરણ સુરક્ષા જેવવી ઘણી મહત્વની શોધો ભારતમાં થઇ છે.
પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી રહી છે. કઈ રીતે?
Hide | Showજવાબ :
ભારતની પ્રજા પ્રાચીન યુગથી પર્યાવરણપ્રેમી રહી છે. જેની સાક્ષી તેનો વ્રુક્ષપ્રેમ, પુષ્પપ્રેમ, છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે. ભારતમાં વડ, પીપળો તુલસી વગેરેની પૂજા, ધૂપ-દીપ કરવામાં આવે છે.
હરડે, આંબળા, બહેડા જેવી ઔષધિઓ તથા મોગરો, ગુલાબ, કમળ, ચંપો, જુઈ જેવા પુષ્પોએ માનવજીવનને ખુબ સુંદર, નિરામય, સમૃધ્ધ બનાવ્યું છે. આમ ભારતના સામાજિક, ધાર્મિક જીવન પર વનસ્પતિઓનો પ્રભાવ રહ્યો છે.
એવા કયો શિલ્પો છે જે જોઇને આપણને આપણા સંસ્કૃતિક વારસા પ્રત્યે ગર્વ થાય ?
Hide | Showજવાબ :
સીધું ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો જેમકે તેમાંથી મળી આવેલ દેવ-દેવીઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો તેમજ દાઢી વાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઇને આપણને આપણા સંસ્કૃતિક વારસા પ્રત્યે ગર્વ થાય છે.
મૌર્યયુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પરમીત શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તન વાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા, જૈન તીર્થંકરોની પ્રતિમાઓ, આ ઉપરાંત ઈલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સંસ્કૃતિક વારસા પ્રત્યે ગર્વ થાય છે.
આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? (સ્વધ્યાય- ૩.1)
Hide | Showજવાબ :
આર્ય પ્રજા નોર્ડિક નામે ઓળખાય છે
નેગ્રીટો (હબસી) પ્રજા વિષે ટૂંકી માહિતી આપો. (સ્વધ્યાય- ૩.2)
Hide | Showજવાબ :
નેગ્રીટો અથવા નીગ્રો જાતિ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નીગ્રો (હબસીઓ) આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઇ ભારતમાં આવેલા તેઓ વર્ણમાં શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા, અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા.
ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવાયેલા છે? (સ્વધ્યાય- ૩.૩)
Hide | Showજવાબ :
ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ચાર સિંહો, ઘોડો, હાથી,અને બળદ આ પ્રાણીઓ દર્શાવાયેલા છે.
દ્રવિડોની કુટુંબપ્રથા તથા કયા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે?
Hide | Showજવાબ :
દ્રવિડોમાં માતૃમુલક – માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેમણે અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલા જેવીકે કાંતવું, વણવું, રંગવું અને હોડી તરાપા જેવા ક્ષેત્રમાં તેમનું યોગદાન છે.
મેંગોલોઈડ પ્રજાની ખાસિયતો જણાવો.
Hide | Showજવાબ :
મેંગોલોઈડ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો સપાટ, ઉપસેલા ગાલ, અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી. મેંગોલોઈડ લોકો ‘કિરાત’ તરીકે ઓળખાતા હતા.
કઈ કઈ ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે?
Hide | Showજવાબ :
નીસર્ગોપચાર, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે.
ભારતની કુદરતી સીમાઓ શેના દ્વારા બનેલી છે?
Hide | Showજવાબ :
ભારતની ઉત્તર સીમા હિમાલયની પર્વતમાળા, દક્ષિણે હિંદમહાસાગર, પૂર્વમાં બંગાળનો ઉપસાગર અને પશ્ચિમે અરબી સમુદ્ર દ્વારા બનેલી છે.
હિમાલયમાં આવેલા પ્રસિદ્ધ યાત્રા ધામોના નામ જણાવો.
Hide | Showજવાબ :
હિમાલયમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી, અને અમરનાથ જેવા પ્રસિધ્ધ યાત્રાધામો આવેલા છે.
દ્રવિડો ભારતમાં ક્યાં વસે છે અને તેઓ કઈ ભાષાઓ બોલે છે?
Hide | Showજવાબ :
દ્રવિડો દક્ષિણ ભારતમાં વસે છે. અને તેઓ તમિલ, તેલુગુ, મલયાલમ, ભાષાઓ બોલે છે.
જૈન ધર્મ અને બોદ્ધ ધર્મની ગુફાઓ ગુજરાતમાં ક્યાં આવેલી છે?
Hide | Showજવાબ :
જૈન ધર્મ અને બોદ્ધ ધર્મની ગુફાઓ ગુજરાતના વડનગર, તારંગા, ખંભાલીડા, જુનાગઢ, શામળાજી, તળાજા, ઢાંક, ઝગડિયા વગેરે સ્થળોએ આવેલા છે.
ભારતના લોકજીવન ઉપર કઈ નદીઓનો પ્રભાવ જોવા મળે છે?
Hide | Showજવાબ :
સિંદુ , ગંગા, યમુના, નર્મદા, કૃષ્ણા, કાવેરી, વગેરે નદીઓનો પ્રભાવ ભારતના લોકજીવન પર પડે છે.
સૌરાષ્ટ્રમાં આવેલા ધાર્મિક મહત્વ ધરાવતા પ્રસિદ્ધ તીર્થસ્થનોના નામ જણાવો.
Hide | Showજવાબ :
ધાર્મિક મહત્વ ધરાવતા પ્રસિદ્ધ તીર્થસ્થનોમાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર, જગદગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર, તથા ભાવનગર જીલ્લામાં આવેલું પાલીતાણાનું જૈન તીર્થંકર વગેરે તીર્થ સ્થળો આવેલા છે.
મોઢેરા શેના માટે જાણીતું છે?
Hide | Showજવાબ :
મોઢેરાનું પ્રખ્યાત સૂર્યમંદિર તથા ત્યાં યોજાતા ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ માટે મોઢેરા જાણીતું છે.
કયા શબ્દનો ઉપયોગ શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં થાય છે.
Hide | Showજવાબ :
શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ‘ભારતવર્ષ’ , ‘ભરતખંડ’ , ‘જંબુદ્વીપ’ , ‘આર્યાવર્ત’ વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે.
આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો.
Hide | Showજવાબ :
સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો.
Hide | Showજવાબ :
‘ગુજરાતનો સંસ્કૃતિક વારસો’ સવિસ્તાર સમજાવો.
Hide | Showજવાબ :
આ પ્રકરણમાં રાસાયણિક પ્રક્રિયાની સમજૂતી, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખવું, સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય,રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિ-વિસ્થાપન પ્રક્રિયા, રોજિંદા જીવનમાં જોવા મળતી ઓક્સિડેસન પ્રક્રિયાઓની અસર અને ખોરાપણું નો સમાવેશ થાય છે.
આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.