લિટ્મસ પેપર શું છે?
Hide | Showજવાબ :
લિટ્મસ પેપર કુદરતી સૂચક છે.
એસિડ સ્વાદે કેવા હોય છે?
Hide | Showજવાબ :
એસિડ સ્વાદે ખાટા હોય છે.
ઘ્રાણેન્દ્રીય સૂચકો કોને કહે છે?
Hide | Showજવાબ :
કેટલાક પદાર્થોની વાસ એસિડીક માધ્યમમાં અને બેઇઝ માધ્યમમાં બદલાઈ જાય છે તેને દ્રાણેન્દ્રીય સૂચકો કહે છે.
ક્ષાર કોને કહે છે?
Hide | Showજવાબ :
જયારે કોઈ ધાતુ બાકી રહેલા એસિડ સાથે જોડાઈને સંયોજન બનાવે છે તેણે ક્ષાર કહે છે.
કેલ્શિયમ કાર્બોનેટના વિવિધ રૂપો જણાવો.
Hide | Showજવાબ :
કેલ્શિયમ કાર્બોનેટના ચુનાનો પથ્થર, ચાક અને આરસ પહાણ જેવા વિવિધ રૂપો છે.
તટસ્થીકરણ કોને કહેવામાં આવે છે?
Hide | Showજવાબ :
તટસ્થીકરણ એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઇ ક્ષાર અને પાણી મળવાની પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે.
કયા દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે?
Hide | Showજવાબ :
ર ઓક્સાઈડને ઓગાળવાથી દ્રાવણનો વાદળી લીલો રંગ ઉદભવે છે
બેઇઝ ઓક્સાઈડ કોને કહે છે?
Hide | Showજવાબ :
બેઇઝની એસિડ સાથેની પ્રક્રિયાની માફક ધાત્વીય ઓક્સાઈડ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે. તેથી ધાત્વીય ઓક્સાઈડ ને બેઇઝ ઓક્સાઈડ કહેવામાં આવે છે.
હાઇડ્રોનિયમ આયન કોને કહેવામાં આવે છે?
Hide | Showજવાબ :
હાઇડ્રોજન આયનો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી પરંતુ તે પાણી સાથે સંકળાયા બાદ અસ્તિત્વ ધરાવે છે. આમ, હાઇડ્રોજન આયનોને હંમેશા હાઇડ્રોનિયમ તરીકે ઓળખવામાં આવે છે.
આલ્કલી કોને કહેવામાં આવે છે?
Hide | Showજવાબ :
બેઇઝ પાણીમાં હાઇડ્રોકસાઈડ આયનો ઉત્પન્ન કરે છે. બેઇઝ કે જે પાણીમાં દ્રાવ્ય હોય તેણે આલ્કલી કહે છે.
ઘ્રાણેન્દ્રીય સૂચક કોને કહેવાય ? ઉદાહરણ આપી સમજાવો.
Hide | Showજવાબ :
જે પદાર્થોની એસિડીક કે બેઈઝીક માધ્યમમાં વાસ બદલાય છે તેવા પદાર્થોને ઘ્રાણેન્દ્રીય સૂચક કહે છે.
ઉદાહરણ તરીકે વેનીલા અર્ક, ડુંગળી, અને લવિંગનું તેલ.
દા.ત. લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર મંદ HCLના ટીપા છંટકાવ કરી, તે કપડું સુંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ આવશે. જે સૂચવે છે કે એસીડ એ ઘ્રાણેન્દ્રીય સૂચકની વાસ છંટકાવ કરી કપડું સુંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ દુર થશે.
જે સૂચવે છે કે બેઇઝ એ ઘ્રાણેન્દ્રીય સૂચકની વાસ દુર કરે છે.
ઝિંક ધાતુની મંદ HCL કે મંદ H2SO4 ની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થાય છે. પણ મંદ HNO3 ની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થતો નથી. કારણ જણાવો.
Hide | Showજવાબ :
ઝિંક ધાતુ મંદ HCL કે H2SO4 ની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન કરે છે કારણ કે ઝિંક ધાતુએ H2 વાયુ વધુ ક્રિયાશીલ હોવાથી તે મંદ HCL કે H2SO4 માંથી H2 વાયુનું વિસ્થાપન કરે છે.
આથી વિસ્થાપન પ્રક્રિયા નીચે પ્રમાણે છે.
સમીકરણ- Zn + H2SO4 -> ZnSO4 + H2
Zn + 2HCL -> ZnCl2 + H2
પણ મંદ HNO3 ની ઝિંક ધાતુ સાથેની પ્રક્રિયાથી H2 વાયુ છુટો પડતો નથી.
કારણ કે મંદ HNO3 પ્રબળ ઓક્સીડેશન કર્તા છે. તે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા H2 વાયુનું H2Oમાં ઓક્સિડેશન કરે છે. આથી ઝિંક ધાતુની મંદ HCL કે મંદ H2SO4 ની પ્રક્રિયા કરવાથી H૨ વાયુ ઉત્પન્ન થાય છે.
એસિડ અને બેઈઝના સામાન્ય ગુણધર્મો જણાવો.
Hide | Showજવાબ :
એસિડ અને બેઈઝના સામાન્ય ગુણધર્મો નીચે પ્રમાણે છે.
૧. એસિડના ગુણધર્મો:
• એસિડ સ્વાદે ખાટા હોય છે. તે ભીના ભૂરા લીટમસ પેપરને લાલ બનાવે છે.
• તે બેઇઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે.
• તે ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે.
૨. બેઇઝના ગુણધર્મો:
• બેઇઝ સ્વાદે તુરા હોય છે.
• તે ભીના લાલ લીટમસ પેપરને ભૂરું બનાવે છે.
• તે એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે.
એસિડ અને બેઇઝ એક બીજા સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે.
Hide | Showજવાબ :
એસિડ અને બેઇઝ એક બીજા સાથે મિશ્ર થઇ એકબીજાની અસર નાબુદ કરે છે. જે આપણે પ્રક્રિયા દ્વારા સમજીએ.
સૌ પ્રથમ એક કસનળીમાં ૨ એમ.એલ.મંદ NaOH નું દ્રાવણ લો.
ત્યારબાદ આ દ્રાવણમાં ફીનોલ્ફ્થેલીનના બે ટીપા ઉમેરો.
ત્યારબાદ દ્રાવણનો કયો રંગ થાય છે તે જણાવો.
ઉપરોક્ત દ્રાવણમાં ટીપે ટીપે મંદ HCL દ્રાવણ ઉમેરો.
પ્રક્રિયા મિશ્રણમાં શું કોઈ પરિવર્તન થાય છે. તે જણાવો.
શા માટે એસિડ ઉમેરવાથી ફીનોલ્ફ્થેલીનનો રંગ બદલાય છે તે જણાવો.
હવે ઉપરોક્ત મિશ્રણમાં NaOH ના થોડા ટીપા ઉમેરો. ત્યારબાદ ફીનોલ્ફ્થેલીનનો ગુલાબી રંગ ફરીથી દેખાય છે કે નહી તે જણાવો અને અવલોકન કરો.
તો અવલોકન કરતા જણાશે કે એસિડ દ્વારા બેઇઝ ની અસર તેમજ બેઇઝ દ્વારા એસિડની અસર નાબુદ થાય છે.
આ પ્રક્રિયા નીચે પ્રમાણે લખી શકાય છે.
NaOH + HCL -> NaCl + H2O
આથી એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઇ ક્ષાર અને પાણી મળવાની પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે.
સામાન્ય રીતે તટસ્થીકરણની પ્રક્રિયા નીચે મુજબ લખી શકાય છે.
બેઇઝ + એસિડ -> ક્ષાર + પાણી
ધાત્વિય ઓક્સાઈડની એસિડ સાથેની પ્રક્રિયા જણાવો.
Hide | Showજવાબ :
એક બીકરમાં થોડી માત્રામાં કોપર ઓક્સાઈડ લો તેમજ હલાવતા જતા ધીરે ધીરે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો અને દ્રાવણનો રંગ નોંધો.
ત્યારબાદ કોપર ઓક્સાઈડ નું શું થાય છે તે અવલોકન કરો.
તારણ: તમને જણાશે દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે અને કોપર ઓક્સાઈડ ઓગળી જાય છે.
પ્રક્રિયામાં ક્લોરાઈડના ઉદ્ભવવાને કારણે દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે. ધાતુ ઓક્સાઈડ અને એસિડ વચ્ચે થતી પ્રક્રિયા નીચે પ્રમાણે લખી શકાય.
ધાતુ ઓક્સાઈડ + એસિડ -> ક્ષાર + પાણી
બેઇઝ એસિડ સાથેની પ્રક્રિયાની માફક ધાત્વિય ઓક્સાઈડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે તેથી ધાત્વિય ઓક્સાઈડને બેઇઝ ઓક્સાઈડ પણ કહેવામાં આવે છે.
આ પ્રકરણમાં એસિડ અને બેઇઝના રાસાયણિક ગુણધર્મોની સમજ, એસિડ અને બેઇઝ ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે?, ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા, એસિડ અને બેઇઝની એક બીજા સાથેની પ્રક્રિયા, ધાત્વીય ઓક્સાઈડની એસિડ સાથેની પ્રક્રિયા, એસિડ અને બેઇઝ વચ્ચેની સમાનતા, એસિડ અને બેઇઝના પાણીના દ્રાવણમાં થતી અસર, એસિડ અને બેઇઝના દ્રાવણની પ્રબળતા, દૈનિક જીવનમાં Ph નું મહત્વ, ક્ષાર વિશેની સમજૂતી, ક્ષારના ઉપયોગો અને તેની અસરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.
The GSEB Books for class 10 are designed as per the syllabus followed Gujarat Secondary and Higher Secondary Education Board provides key detailed, and a through solutions to all the questions relating to the GSEB textbooks.
The purpose is to provide help to the students with their homework, preparing for the examinations and personal learning. These books are very helpful for the preparation of examination.
For more details about the GSEB books for Class 10, you can access the PDF which is as in the above given links for the same.